Abtak Media Google News

ભારતીય ન્યાય પ્રણાલીમાં સો દોષિત ભલે નિર્દોષ છૂટી જાય પણ, એક નિર્દોષને કદાપિ સજા ન થવી જોઈએ …ના માનવ અધિકાર અને કુદરતી સિદ્ધાંત ની ધરોહર પર ભારત ન્યાય સહિતામાં માથે પટ્ટી બાંધેલી કાનૂની દેવીની પ્રતિમા એવી ન્યાય પ્રણાલી ની પ્રતીક છે કે જેમાં ન્યાય આપતી વખતે ક્યારેય કોઈ લાગણી આગ્રહ પૂર્વગ્રહ અને સંવેદનાથી રહિત થઈને તટસ્થ ન્યાય આપવામાં જરાપણ અવરોધ ન આવે ..આજે ન્યાય ક્ષેત્રે સુપ્રીમ કોર્ટે આપેલા એક તારણમાંસમાનતાના અધિકાર હેઠળ ૧૦૦ ટકા વિકલાંગતા ધરાવતા વ્યક્તિને પણ ન્યાયાધીશ બનાવી શકાય તેવા ચુકાદામાં શારીરિક વિકલાંગતા એ ન્યાયતંત્ર માટે બાધક નથી ન્યાયમાં માનસિક રીતે સબળ હોવું અનિવાર્ય છે, ન્યાય આપનાર વ્યક્તિ માનસિક રીતે સંપૂર્ણપણે સક્ષમહોવા જોઈએ તેમાં શારીરિક વિકલાંગતા ક્યારેય બાધક ન બની શકે ન્યાય તોલવા માટેશારિરીક ક્ષમતાની કોઈ જરૂર રહેતી નથી ન્યાયાધીશની નિમણૂક માં ક્યારેય શારીરિક વિકલાંગતા ધ્યાન ન લેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના રૂપમાં જજમેન્ટ ડે જેવા આ અભિગમથી ન્યાયતંત્ર માં શારીરિક વિકલાંગ હોવું એલાયકાતના માપદંડથી દૂર રહેવું નથી ન્યાય તોલવામાં દ્રષ્ટિ નહીં પરંતુ દ્રષ્ટિકોણની આવશ્યકતા છે ન્યાયની દેવી ની આંખે પટ્ટી બાંધવામાં આવી છે તેનો અર્થ એ થયો કે ન્યાય બોલનાર ને કોઈપણ ભાવના કે લાગણીમાં ભીંજાયા વગર ન્યાયના હિતમાં તટસ્થપણે ન્યાય કરવાનો હોય છે ન્યાયધીશ વિકલાંગ હોય કે દ્રષ્ટિહીન તેનાથી કશો ફરક પડતો નથી ન્યાય કરનારને દ્રષ્ટિ નહીં પણ દ્રષ્ટિકોણ હોવો જોઈએસુપ્રીમ કોર્ટે ન્યાયધીશની લાયકાતમાં જણાવાયું છે કે સારી રીતે અસ્વસ્થ હોય તેવા લોકોની લાયકાત પર શંકા ઉપજાવી શકાય નહીં તારા વિકલાંગ વ્યક્તિને જરૂરિયાત મુજબ માર્ગદર્શન અને સુરત આપવાથી તે પણ અન્ય લોકો માફક કામ કરી શકે છે દરેક સમસ્યાથી પીડાતી વ્યક્તિને જો તમામ પ્રકારની સવલતો અને માર્ગદર્શન આપવામાં આવે તો તે સારું કામ કરી શકે છે અને વિકલાંગ વ્યક્તિ પણ એક સામાન્ય ન્યાયાધીશની માફક બહુપદી ન્યાય કરવા સક્ષમ હોય છે ન્યાયમૂર્તિ ચંદ્રચુડ એ ન્યાયતંત્રની ગરિમા ને આપની ઊંચાઈ આપતા એક ચુકાદામાં જણાવ્યું હતું કે શારીરિક વિકલાંગતા ધરાવતા વ્યક્તિને તમામ પ્રકારની મદદ અને માર્ગદર્શન આપવા જરૂરી છે જેથી તેઓ પણ અન્યની જેમ સારું કામ કરી શકે છે ન્યાયાધીશને શારિરીક ક્ષમતાની દ્રષ્ટીએ જોઇએ કોઈપણ કાબેલ વ્યક્તિ ને માત્ર શારીરિક ખોડખાપણ ને લીધે મહત્વની જવાબદારી થી વંચિત ન રાખવા જોઈએ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા એ માત્ર ન્યાયતંત્ર ન પર નહીં પરંતુ સમાજના દરેક વિકલાંગ બાંધવોને પોતાની કાબેલિયત મુજબ આગળ વધવા નો રસ્તો ખોલી લીધો છે શારીરિક વિકલાંગતા એ વિકલાંગતાનો પર્યાય નથી માનસિક રીતે વ્યક્તિ વિકલાંગ ન હોવો જોઈએ તારી વિકલાંગ એ કુદરતનો અભિશાપ નથી આવી વ્યક્તિ અને દિવ્ય શક્તિઓ અને આવડત ધરાવે છે પરંતુ હા દેખાવમાં સબળ અને સક્ષમ દેખાવ તો વ્યક્તિ વિકલાંગ ન હોય પરંતુ જો તે માનસિક રીતે નબળો હોય તો માનસિક વિકલાંગ કંઈ કરી શકવા સક્ષમ હોતો નથી, સુપ્રીમ કોર્ટે શારીરિક ખોડખાપણ ના મુદ્દાથી ન્યાયતંત્રને પર રાખીને વિકલાંગતા ન્યાયાધીશને ન્યાય રોકી ન શકે તેવો ચુકાદો આપી દે આજે ખરા અર્થમાં માનવ સમાજ ના કર્મ વિરો માટે જજમેન્ટ ડેનો દાખલો બેસાડયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.