રાજકોટ જીલ્લાના ધોરાજીમાં કપાસનાં પાકમાં ગુલાબી ઈયાળોનો ઉપદ્રવ આવતાં ખેડૂતો ચિંતાતુર બન્યા આખાં વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે મોંઘા ભાવોના જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ માથે પડ્યા કમોસમી વરસાદ અને વાવાઝોડું ની અસર ને લઈને ભારે નુકશાન થવા પામ્યુ હતું ત્યારે કપાસ નો પાક જે હજુ ઉભો હતો એ પણ ખેડૂતો માટે માથાં નાં દુખાવો સમાન સાબિત થઈ રહયો છે ગુલાબી ઈયાળો નો ઉપદ્રવ આવતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે ત્યારે ધોરાજી નાં જામકંડોરણા રોડ પર આવેલાં ખેતરોમાં પણ કપાસ નાં પાક માં ગુલાબી ઈયાળો આવી જતાં સારાં પાક પણ નિષ્ફળ જાય એમ છે રાજ્ય સરકારે ખેડૂતો ને સહાય ચૂકવવા માટે જે રાહત પેકેજ જાહેર કર્યુ છે તે હજું સુધી ખેડૂતો ને મળ્યુ નથી અને જે ખેડૂતો એ પાક વિમા નું પ્રીમીયમ ભર્યુ છે તે પણ ખેડૂતો ને પાક વિમો મળ્યો નથી જે ખેડૂતો ને વિમો ચુકવવા માં આવ્યો છે એ પણ મજાક સમાન છે ત્યારે ધોરાજી નાં જામકંડોરણા રોડ પર આવેલ ખેડૂતો દ્વારા સરકાર ને ધંઢરવા માટે નવતર પ્રયોગ કર્યો હતો અને જેમાં મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી અને ભારત નાં વડાપ્રધાન ને પત્રો માં ગુલાબી ઈયાળો અને બગડેલા જીંડવા ઓને કવર માં પેક કરી ને મોકલાવેલ છે અને ખેડૂતો ની વ્યથા અને વેદના સરકાર સુધી પહોંચે એ માટે અને પાક વિમા ની રકમ માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ