Abtak Media Google News

ધોરાજી: તોરણીયા ગામમાં ઘર પાસેથી નીકળવા મામલે યુવાન પર હુમલો

ધોરાજી તાલુકાના તોરણીયા ગામે ઘર પાસે નીકળવાની બાબતે યુવાનને ચાર શખ્સોએ માર માર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના તોરણીયા ગામે રહેતા અને રીક્ષા હાકી પરિવારનું ગુજરાન ચલાવતા સુરેશભાઈ અમૃતલાલ રાઠોડ નામના 40 વર્ષીય યુવાન પર તેના જ ગામના વસંત ભૂપત અધેરા, ભરત ભૂપત અઘેરા, ભૂપત ચના અધેરા અને ટીટી ભૂપત અધેરા નામના શખ્સોએ ધોકા વડે માર માર્યાનો બનાવ ધોરાજી તાલુકા પોલીસ મથકમાં નોંધાયો છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ સુરેશભાઈ રાઠોડ સામાપક્ષે આરોપી વસંતના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે ’મારી પત્ની વાસણ ઉટકવા બેસે ત્યારે કેમ નીકળે?’ કહી ચારેય શખ્સો ધોકા વડે તૂટી પડતા હતા. પોલીસે ચારેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.