Abtak Media Google News

સુરત સમાચાર

રાજ્ય સરકારે નવા વર્ષમાં TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેતા વિવાદ વકર્યો છે. આજે સુરત અને અમદાવાદમાં ક્લેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. સાથે જ નિર્ણય પરત ન લેવામાં આવે તો આગામી સમયમાં વિરોધની સાથે આંદોલન ચલાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હજારો TRB જવાનોને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેતા ટીઆરબી જવાનો આકરા પાણીએ જોવા મળ્યા હતા. અમદાવાદમાં અંદાજે 500 જેટલા TRB જવાન ટીઆરબી કર્મચારીઓ વિરોધ તથા ધરણા કરવા માટે કલેકટર ઓફિસે પહોંચ્યા હતા. ટીઆરબી કર્મચારીઓ દ્વરા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.