Abtak Media Google News

ઓનલાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક લોકોએ ઘરમાં રોપા વાવીને પ્રતિદિન તેનું સેવન કરવાનું લક્ષ્ય રાખ્યું

બ્રહ્માકુમારી ગુજરાત ઝોન ડાયરેક્ટર બ્રહ્માકુમારી ભારતી દીદી જીના ૮૦માં જન્મદિવસ નિમિત્તે આયુર્વેદિક ઔષધી જેવીકે તુલસી, ફૂદીનો, અજમાં રોપાનું વિતરણ તથા રોપણ કરાયું હતું.

વર્તમાન વૈશ્વિક મહા મારી  સામે વિજય બનવા તથા સ્વસ્થ જીવનશૈલી માટે આશીર્વાદરૂપ ઔષધિ એટલે તુલસી અજમો ફુદીનો વગેરે ભારતી દીદી ના એસી માં જન્મદિવસ નિમિત્તે ઓનલાઇન કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક લોકોએ ઘરમાં રોપા વાવીને પ્રતિદિન તેનું સેવન કરવાનું લક્ષ્ય રાખ્યું.

ભારતી દીદી એ સૌને શુભ પ્રેરણા આપતા જણાવ્યું કે વર્તમાન આ પરિસ્થિતિમાં આપણે સૌ સમાજને, શહેરને ,સોસાયટીને, પુરા વિશ્વ ને શક્તિશાળી સંકલ્પો આપીએ, પરમાત્માને પ્રાર્થના કરીએ જેથી સૌ પોતાના સ્વસ્થ જીવન ને પુન: પ્રાપ્ત કરે. સૌનું મંગલ થાય, સૌનું કલ્યાણ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.