Abtak Media Google News

હુમલો કરનારા ટોળા સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ ગુન્હો નોંધતી યુપીની યોગી સરકાર

દેશભરમાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા શરૂ થયેલા બીજા તબકકાના લોકડાઉનમાં સોશ્યલ ડિસ્ટન્સીંયનો ચુસ્ત અમલ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. દરમિયાન ઉતરપ્રદેશમાં કોરેઠાઇનની કામગીરી સાથે જોડાયેલા સુરક્ષા કર્મચારીઓ અને આરોગ્યની ટીમ પર ટોબાના સામુહિક હુમલા અને પથ્થર મારાના બનાવો બનતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement

ઉતરપ્રદેશના મુરાદાબાદ નજીક આવેલા નાગરૂણી વિસ્તારમાં બુધવારે કોરનટાઇનની કામગીરી માટે ફિલ્ડ વર્ક કરી રહેલી આરોગ્ય વિભાગના કર્મીઓ અને પોલીસ જવાનો પર એક દર્દીના ભાઇને કોરેટાઇન માટે લઇ જતી વખતે ભારે પથ્થરમારો થયો હતો. જે બાદ ગેટમાર્ગ હટાવેલા લધુમતિઓના ભારે હિસંક હુમલો કર્યો હતો.

કોરોનાના દર્દીને કોરેટાઇન કરવા ગયેલી એસબીબો અને ચાર પોલીસ અધિકારીઓને ટીમને લધુમતિના ટોળાના પથ્થર મારાનાં કારણે ગંભીર ઇજાઓ થઇ હતી. ઉતરપ્રદેશમાં સામે આવેલી આ ઘટના માટે આકરા પ્રત્યાઘાતો આપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હિંસા આચરનારા તમામ જવાબદારો સામે રાષ્ટ્રીય સુરક્ષાધારા અંતર્ગત ગુન્હા નથી આકરી કાર્યવાહીના આદેશો જાહેર કર્યો છે.

નાગરૂણીમાં કોરોનાથી એક દર્દીનુ સોમવારે મૃત્યુ નિપજયુ હતુ અને તેના ભાઇને સખ્તતાવ અને શરદી જેવા કોરોના વાયરસના લક્ષકણો સામે આવતા તેને કોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાગરૂણીને કોવિડ-૧૯ના હોટેરયાટે તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ શહેરમાં એવી અરૂવા ફેલાઇ હોય કે લઘુમતી વિસ્તારોમાંથી લોકો ટેસ્ટીંગ માટે ઉપાડીને કોરોન્ટાઇન માટે મોકલી દેવામાં આવે છે. અબલતી કોઇને આવી રીતે ઉપાડવામાં આવતા ન હતાં. લોકડાઉનનો નિયમનો ભંગ કરીને બે એમ્બયુલેન્સ અને પોલીસના વાહનને કોરોનાના દર્દીનો ભાઇને તેના લઇ જવામાટેની કામગીરી દરમિયાન હિંસક ટોળાએ ભારે પથ્થરમારા સહિત હુમલો કર્યો હતો. તબીબો અને પોલીસને ગંભીર ઇજાઓ કરી હતી.

જો કે પાછળથી ૧૦ મહિલા સહિત ૨૫ લોકોને ઝડપી લીધા હતાં. બાકીનાઓને ઝડપી લેવાના ચંદ્રોગતિમાન કર્યો હતો.

લોકડાઉન દરમિયાન અતિસંવેદનના વિસ્તાર તરીકે જાહેર થયેલા નાગરૂણી વિસ્તારમાં મેડીકલ ટીમને જોવા લોકો બહાર નિકળ્યા હતાં અને અમારા ઉપર પથ્થર મારો શરૂ કર્યો હતો હવે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે તેમ કલેકટર આરકેસિંગ સાથે ઘટના સ્થળે દોડી ગયેલા એસએસપી અમિત પાઠકે જણાવીને કયુ હતુ કે સમગ્ર વિસ્તારમાં ૧૪૪ કલક લાગુ છે. ત્યારે નિયમભંગ કરીને આવ્યા હતા. ફેલાવવા માટે પુરૂષો અને મહિલાઓને જવાબદાર ગણવામાં આવ્યા છે. આ તમામ વિરૂધ્ધ જાહેરનામાના ભંગ ઉપરાંત એપીડેમિક ડિસીઝએકટ અને ડિઝારટર મેનેજમેન્ટ એકટ અંતર્ગત ગુનો નોંધી રાષ્ટ્રીય સુરક્ષાધારા અંતગર્ત એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

ટોળાની હિંસાનો ભોગ બનનાર એક એમબ્યુલન્સના ડ્રાઇવરે જણાવ્યુ હતુ કે આરોગ્યની ટીમ પર એક મોટા ટોળાએ હુમલો કરી તમામને ઘેરી લીધાં હતા અને કેટલાંક આરોગ્ય કર્મચારીઓ નજીકની ગલીઓમાં છુપાઇ ગયા હતાં અને કેટલાક કર્મચારીઓ અને તબીબો ટોળાની હરૂકે આવી ગયા હતાં. તેમાંથી એક તબીબને ગંભીર ઇજાઓ થઇ હતી. આ ટોળાએ તબીબો અને આરોગ્ય કર્મચારીઓના સુરક્ષા જેકેટ પણ ફાડી નાખ્યા હતા. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણના આ વાપરામાં સુરક્ષા કર્મચારીઓ અને તબીબો અને કાર્યકર્મચારીઓના હુમલા સામે કડક કાર્યવાહીનો સુપ્રિમ કોર્ટ સરકારને નિદેશ આપી હુમલાખોરો વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા અનુરોધ કર્યો હતો. આવા તત્વો સામે પાસા અને રાષ્ટ્રીય  સુરક્ષા ધારા અંતર્ગત કાર્યવાહી કરવા હિમાયત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.