Abtak Media Google News

જમવાનું કહેતા ઉશ્કેરાયેલા કળયુગી કપાતરે માતાને લાકડી વડે ફટકાર્યા

શહેરમાં હરિઘવા રોડ પર આવેલા નંદા હોલ પાસે રહેતા વૃદ્ધાએ પુત્રને જમવાનું કહેતા નશામાં ધૂત પુત્રએ વૃદ્ધ માતા ઉપર લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હરીઘવા રોડ પર આવેલા નંદાહોલ પાસે રહેતા ચંપાબેન છગનભાઈ જોગિયાણી નામના 70 વર્ષના વૃદ્ધા રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઘરે હતા ત્યારે પુત્ર નરેશ જોગીયાણી બહારથી દારૂ પીને આવ્યો હતો. રાત્રીના સમયે જમવાનુ ટાણું થઈ જતાં માતા ચંપાબેન જોગિયાણીએ પુત્રને જમવાનું કહેતા નશાચુર પુત્ર નરેશ જોગિયાણીએ ઝઘડો કર્યો હતો.

એટલું જ નહિ પરંતુ ઉશ્કેરાયેલા નપાવટ પુત્રએ માતાને લાકડી વડે માર માર્યો હતો. વૃદ્ધાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસે હોસ્પિટલના બિછાને રહેલા વૃદ્ધાના નિવેદન પરથી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.