Abtak Media Google News

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પાર આવેલા રાજસીતાપુર ગામ પાસે સુમસાન રોડ પર ગઇકાલે એક યુવાન દવા પીધેલી હાલતમા જોવા મળ્યો હતો. જેથી રાહદારીઓએ તુરંત આ યુવાનને સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી દેવાયો હતો પરંતુ ખેતરમા છાંટવાની ઝેરીદવા પી જતા આ યુવાનનુ સુરેન્દ્રનગર ટીબી હોસ્પીટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ જ્યારે આ અજાણ્યો યુવાન પ્રાથમિક દ્રષ્ટીએ ધ્રાંગધ્રામા રહેતો હોવાની શંકા હતી પરંતુ યુવાનના પરીવારજનોની તપાસ કયાઁ બાદ ખરેખર આ યુવાનનુ નામ દીપક રઘુભાઇ ધોરીયા રહેવાસી થોરીયાળી તા:- વિછીયા જી:- રાજકોટવાળા હોવાનુ ખુલ્યુ હતુ બાદમા મૃતક યુવાનના પરીવારજનોને સંપકઁ કરતા તેઓ તુરંત ધ્રાગધ્રા આવી પહોચ્યા હતા.

Advertisement

અને જણાવ્યુ હતુ કે મૃત્યુ પામનાર દીપકભાઇ ધોરીયા કંશક્સનનુ કામ કરતા હોય અને તેઓની સાઇડ ધ્રાંગધ્રા સહિત અન્ય જગ્યાએ પણ ચાલતી હતી. ત્યારે મૃતકના પરીવારજનોએ આ બાબત આત્મહત્યા નહિ પરંતુ હત્યાનુ કાવતરુ હોવાનો આક્ષેપ કયોઁ હતો ત્યારે હાલતો યુવાનનો પીએમ કયાઁ બાદ તેઓના પરીવારજનોને લાશ સોંપી દઇ વધુ કાયદેસરની કાયઁવાહી કરી વધુ તપાસ સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.