Abtak Media Google News

ઈસમે ત્રણ ત્રણ લગ્ન કર્યા બાદ પણ પત્નીઓ સાથે મનમેળ ન રહેતા: પુત્રીને મોતને ઘાટ ઉતારી યુવકે આપઘાત કર્યા તા

9 એક મહિના પહેલા ઈડર તાલુકાના બે ગામના સીમાડામાંથી બળી ગયેલા બે મૃતદેહ મળી આવ્યા હતા જે મામલાની તપાસમાં ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે મૃતદેહના ડીએનએ રિપોર્ટ બાદ ભિલોડા તાલુકાના વાઘેશ્વરી ગામના ઈસમે ત્રણ ત્રણ લગ્ન બાદ પણ પત્નીઓ સાથે મનમેળ ન રહેતા જીવન ટૂંકાવી લેવાનું અને દીકરીનું શું થશે તેમ વિચારી ઈડર તાલુકાના પૃથ્વીપુરા ગામની સીમમા દીકરીની હત્યા કર્યા બાદ પોતે પણ જીવન ટૂંકાવી લીધું હોવાનું પ્રસ્થાપિત થતાં ચકચાર મચી ગઈ હતી અને જાદર પોલીસે આ અંગે વધુ તપાસ હાથધરી હતી.

જ્યારે આ મામલે મળતી જાણકારી મુજબ ભિલોડા તાલુકાના વાઘેશ્વરી ગામના નરેશ મનજી વરસાતે કલ્પનાબેન સાથે પ્રથમ લગ્ન કર્યા હતા અને તેમને નિધિ નામની દીકરીનો જન્મ થયો હતો પતિ સાથે મનમેળ ન રહેતા છુટાછેડા થયા હતા નરેશ તથા તેમની દીકરી તેમની માતા હીરાબેન સાથે વાઘેશ્વરીમાં રહેતા હતા માતા હીરાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે નરેશને ત્રણ ત્રણ લગ્ન બાદ છુટાછેડા થવાને કારણે સતત ચિંતામાં રહેતા હતા અને જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય લીધો હતો

અને તેના મોત બાદ દીકરીનું શું થશે તેમ વિચારી દીકરીનું પણ જીવન ટુંકાવી દેવા સ્કૂલેથી સીધા પૃથ્વીપુરા ગામની સીમા લઈ જઈ ગમે તે રીતે હત્યા કરી પોતે ઈટડી ગામની સીમમાં જઈ જીવન ટુંકાવી લીધું હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.