Abtak Media Google News

પરિવારને નિંદરમાં ખલેલ પહોચાડયા વગર લાખોની  તસ્કરી

ગોંડલ ભવનાથ નગરમાં ફ્રુટના વેપારીના ઘરે તસ્કરોએ પરોણા કરી કબાટની તિજોરીમાં રાખેલ 12 તોલા સોનાના દાગીના તેમજ રોકડા  એક લાખની ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી

પ્રાપ્ત વિગતો મુજબ ભવનાથ નગરમાં રહેતા અને માંડવી ચોકમાં ફ્રુટનો વેપાર કરતા મુકેશભાઈ કનુભાઈ કુંજડિયા રાત્રિના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા તે દરમિયાન બાજુના રૂમમાં તસ્કરોએ પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ રોકડા રૂપિયા 1,00,000 તેમજ 12 તોલા સોનાના દાગીના ચોરી કરી લઈ જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા

ફરિયાદી મુકેશભાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ પરોઢિયે પાંચ વાગે ઉઠ્યા ત્યારે બાજુનો રૂમ અસ્તવ્યસ્ત જણાતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું તસ્કરો એટલા સાતિર હતા કે બાજુના રૂમમાં સૂતેલા પરિવારજનોને ચોરીની ભનક પણ લાગી ન હતી ચોરી થયેલ કબાટ ની બાજુના કબાટ માં ચાવી નો ઝૂડો પડ્યો હતો જે તસ્કરોના હાથે લાગી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.