Abtak Media Google News

તા.1લીમે ગુજરાત સ્થાપના દિવસે માતાના મઢથી પ્રસ્થાન થઈ 1800થી વધુ કિ.મી.ની યાત્રા પૂર્ણ કરી

દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી સામાજીક સંગઠન શ્રી રાજપુત કરણી સેનાની 16 દિવસની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા કરણી રથનું રાજકીય પક્ષો તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઠેર ઠેર સ્વાગત અને હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા.ગુજરાતના સ્થાપના દિવસે 1લી મેના રોજ કચ્છ માતાના મઢથી માતાજીની જયોત સાથે એકતા યાત્રાનો આરંભ થયો હતો. રાજયભરમાં અંદાજે 1,900 કિલોમીટરથી પણ વધુ પરિભ્રમણ કરનાર આ એકતા યાત્રા ઉતર ગુજરાત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં યાત્રા પૂર્ણ થઈ.

બાર જયોતિંગ પૈકી પ્રથમ સોમનાથ જયોતિંગ ખાતે શ્રી રાજપૂત કરણી સેનાની તા.1મી એ નિકળેલી એકતા યાત્રાનું સમાપાન થવાનુઁ છે. શ્રી રાજપુત કરણી સેના દ્વારા સોમનાથ દાદાને પાઘ અર્પણ કરવામાં આવી હતી અને યાત્રાનું સમાપન થયું હતું.

ક્ષત્રિય ધર્મ, હિન્દુત્વ, ભગવા રંગના ગુણગાન અને ઈતિહાસની ધરોહરને ઉજાગર  કરી છે.  એકતા યાત્રા કરણી રથનું અંદાજે 500 થી વધુ કાર, જીપો, ટુવ્હીલરો,  જોડાય હતા. એકતા યાત્રાનું સામાજિક,  રાજકીય સંગઠનો, સંતો-મહંતો, આગેવાનો, વિવિધ સમાજ સંગઠનો, સંસ્થાઓ દ્વારા કુમકુમ તિલક, ફુલહાર, ઢોલનગારા, ડી.જે.ની ધુન કેસરીયા માહોલ સાથે અલગ અલગ રીતે સ્વાગત માહોલ સાથે હિન્દુત્વની એકતા સમી આ યાત્રાનું  ગામડેથી લઇ શહેરોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

આ યાત્રાને સફળ બનાવવા ગુજરાત રાજપુત કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજા, પ્રભારી ભરતભાઈ કાઠી, પ્રદેશ સંરક્ષક મેરૂભા જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, પ્રદેશ સચિવ કુલદીપસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાણા, પૃથ્વીસિંહ પરમાર, સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા અધ્યક્ષ જયકિશનસિંહ ઝાલા, શહેર અધ્યક્ષ તીર્થરાજસિંહ ગોહીલ, શહેર પ્રભારી ભરતસિંહ જાડેજા, સત્યેન્દ્રભાઈ ખાચર, શીવરાજભાઈ ખાચર, રાજદીપસિંહ જાડેજા, રાજાભાઈ વાવડી, સતુભા જાડેજા, જગદીશસિંહ જાડેજા, માણસુરભાઈ વાળા, ગજુભા જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા અને સત્યજીતસિંહ જાડેજા સહિતના ઓએ જહેમત ઉઠાવી રહેલ છે.

ગોંડલ: એકતા યાત્રાનું ધારાસભ્ય ગીતાબાએ કર્યુ સ્વાગત

Img 20220517 Wa0154

સંત અને શુરોની ભોમકા ભગાબાપાના ગોંડલ ખાતે શ્રી રાજપૂત કરણી સેના આયોજીત એકતા યાત્રા આવી પહોચતા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર અને યુવા ભાજપના અગ્રણી જયોતિરાદિત્યહિ જાડેજા અને તેમની ટીમ દ્વારા માં કરણીની આરતી કરી એકતા યાત્રાના સંરક્ષક જે.પી. જાડેજા, ક્રિષ્ણસિંહ જાડેજા અને રાજવીરસિંહ વાળાનું તિલક કરી સન્માન કર્યુ હતું. તેમ જ અક્ષરપુરૂષામ મંદિરના સંતોએ પણ એકતા યાત્રાનું સ્વાગત કરી આશિર્વાદ પાઠવ્યા હતા.

માં કરણીની પુજા-અર્ચના કરતા શ્રી લાલબાપુ

Capture 23

ઉપલેટા તાલુકાના વેણુ નદીના કાંઠે આવેલા ગધેથડ ગામે શ્રી ગાયત્રી આશ્રમ ખાતે શ્રી રાજપુત કરણી સેનાની એકતા યાત્રા આવી પહોચતા શ્રી ગાયત્રી આશ્રમના મહંત શ્રી લાલબાપુએ માં કરણીની જયોતની આરતી કરી એકતા યાત્રામાં જોડાયેલા તમામને શ્રી લાલબાપુએ આશિર્વાદ આપી સમાજના કાર્ય કરતાં રહો તેમજ તમામ સમાજને ઉપયોગી બનો તે ક્ષત્રીયનો રાજધર્મ છે. તે નિભાવો અને આપના સમાજલક્ષી તમામ કાર્યોમાં માં ગાયત્રી સફળતા અપાવે તેવા આશીર્વાદ આપ્યા છે.

ખોડલધામ ખાતે એકતા યાત્રાનું સ્વાગત

Img 20220516 Wa0102

લેઉવા પટેલનું આસ્થા અને શ્રઘ્ધાનું કેન્દ્ર જેતપુર નજીક કાગવડ ખાતે આવેલા શ્રી ખોડીયાર માતાજીના મંદિર ખાતે શ્રી રાજપુત કરણી સેનાની એકતા યાત્રા તા.1પને રવિવારના રોજ આવી પહોચતા ખોડલ ધામના પ્રણેતા નરેશભાઇ પટેલ દ્વારા માં કરણીની જયોતની પુજા કરી ધન્યતા અનુભવી હતી. તેમજ શ્રી રાજપુત કરણી સેનાના એકતા યાત્રાની સંરક્ષણ જે.પી. જાડેજા, ક્ષત્રીય સમાજના અગ્રણી અનિરુઘ્ધસિંહ જાડેજા (રીબડા) સહીતની ટીમનું નરેશભાઇએ સ્વાગત કર્યુ હતું. શ્રી રાજપુત કરણી સેનાની ટીમ દ્વારા શ્રી ખોડલ ધામ ખાતે ઘ્વાજારોહણ કરી પૂજા વિધી કરી હતી. આ તકે સમગ્ર ટીમ નરેશભાઇનો આભાર માન્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.