Abtak Media Google News

રાજકોટ શહેરના 14 અને ગ્રામ્યના 4 પી.એસ.આઈ.ની ટ્રાન્સફર : 11ની નિમણુંક

રાજ્યના પોલીસ વડા દ્વારા  પી.એસ.આઈ.ની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 74 સહિત રાજ્યના 183 ફોજદારોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરના 14 અને ગ્રામ્યના 4 પી.એસ.આઈ.ની ટ્રાન્ફસર થઈ છે. જેની સામે 11 નવા ફોજદારોની નિમણુંક કરવામાં આવી છે.

ચુંટણી પંચની ગાઈડલાઈન મુજબ ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને બદલાવવામાં આવે છે. જેમાં ગત તા.14 ના રોજ પી.આઈ.ની બદલી બાદ આજે મોડી સાંજે પી.એસ.આઈ.ની સામુહિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં ફરજ બજાવતા સંજયસિંહ જાડેજાને આઈ.બી.માં,  અરવિંદસિંહ જાડેજાને ગીર સોમનાથ, બુડાસણા તૃષાને જામનગર, બરાસીયા આકાશને દ્વારકા, ગાંગાણી પૂનમબેનને આઈ.બી., મહેન્દ્રકુમાર જેબલીયાને જુનાગઢ, જલવાણી કોસરને જુનાગઢ, હેરભા હરેશને વડોદરા ગ્રામ્ય, આકાશ સિંધવને ગીર સોમનાથ, રાણા કીંજલકુમારને પોરબંદર, રાઠોડ ચંદુલાલને ભાવનગર, નીમાવત શરદકુમારને રેલ્વે, વડાવીયા હિતેનકુમારને જામનગર, પ્રિયા મયુરને જામનગર, રાજકોટ ગ્રામ્યના બરબસીયા વનરાજભાઈને સુરેન્દ્રનગર, હીંગરોજા હનીફભાઈને જામનગર, ચાર્મી મીલનને મોરબી, ગોંડલ વિશાખાને સુરેન્દ્રનગર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે પોરબંદરના જારીયા રમેશભાઈને, મોરબીના ઝાલા ભુપેન્દ્રસિંહને, ગોંડલીયા અરૂણાબેનને, દ્વારકાના ફરીદાબેનને, ભુજના ચૌહાણ વિજય રાજકોટ શહેર, મોરબીના પરમાર ભાગ્યેશકુમાર, જાડેજા રૂતુરાજસિંહ, મહિસાગરના રાઠોડ કિશોરભાઈ, ભાવનગરના પટેલ શૈલેષભાઈ, જુનાગઢના બડવા દિલીપકુમાર, પરમાર કેતનને રાજકોટ ગ્રામ્યમાં મુકવામાં આવ્યા છે.

બોટાદના નિમાવત જલ્પાબેનને ગીર સોમનાથ, જોષી હેતલબેનને ભાવનગર, ગીર સોમનાથના અઘેરાબેન કલ્પાબેનને પોરબંદર, ચનીયારા રમાબેન જામનગર, મુસાર હર્ષદકુમાર ભાવનગર, ચુડાસમા હરદીપસિંહ જુનાગઢ, ચૌહાણ કરણસિંહ મોરબી, સોનારા વિરેન્દ્રસિંહ મોરબી, પોરબંદરના દેશાઈ જત્સનાબેન જુનાગઢ, રાવલ નૂતનબેન અમરેલી, અબ્દુલાભાઈ જામનગર, મોરબીના શુકલ વિનોદભાઈ દ્વારકા, શુકલા નિરાલી જુનાગઢ, મોલીયા પુજાબેન ગાંધીધામ, ડાંગર ધનલક્ષ્મી ભાવનગર, રામાનુજ રાધીકાને ગાંધીધામ, વાઢીયા લાખુબેનને ગાંધીધામ, ટાપરીયા રાજેન્દ્રભાઈને ભુજ, દ્વારકાના ઠાકરીયા કવિતાબેન પોરબંદર, અમદાવાદના પરમાર મલીકાબેન સુરેન્દ્રનગર, સોનારા પુષ્પાબેનને મોરબી, પટેલ સંદિપકુમાર મોરબી, સુરેન્દ્રનગરના ઝાલા વિજયરાજસિંહ વડોદરા ગ્રામ્ય, વડગામા અયુબભાઈને પાટણ, જામનગરના જાદવ ઉદયભાઈને ભુજ, નોઈડા ઈન્તુજાબેનને દ્વારકા, બનાસકાંઠાના સુથાર કિરણકુમારને ગાંધીધામ, કચ્છના જેઠવા કિરીટસિંહને મોરબી, જાડેજા ગીરરાજસિંહને બનાસકાંઠા, ચાવડા જ્યોત્સનાબેનને અમદાવાદ ગ્રામ્ય, જાડેજાના મહાવીરસિંહને સુરેન્દ્રનગર, મહેશ્વરી સામંતભાઈને બનાસકાંઠા, ગરવા રામજીભાઈને મોરબી, વાણીયા ગીરીશભાઈને પાટણ, ભટ્ટ ભાવેશકુમારને બનાસકાંઠા, જાડેજા ગુલાબસિંહને પોરબંદર, જામનગરના સવસેટા માણસુરભાઈને દ્વારકા અને અમરેલીના મોરી મહેશભાઈને જામનગર ખાતે નિમણુંક આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.