Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહર્ષિ વાલ્મીકી ઋષિની જન્મજયંતિ નિમિત્તે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પુર્વ ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, જસુમતીબેન વસાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, પુર્વ કોર્પોરેટર જયશ્રીબેન પરમાર, વાલ્મીકી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.