Abtak Media Google News
  • 15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો અને વાહનો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ

Whatsapp Image 2024 03 29 At 12.35.00 C834Bd4C

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આ ગુનેગારોએ બે નંબરની કમાણી કરીને ઉભી કરેલી મિલકતો હાલ જપ્ત કરવામાં આવી રહી છે. પોલીસની આ કાર્યવાહીને પગલે ગુનેગાર આલમમાં સોપો પડી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલ આરીફ મીર, ઇમરાન ચાનિયા હાલ ફરાર છે. આ સહિતના 15 જેટલા શખ્સોની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાલ ગૃહ વિભાગના આદેશ મુજબ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.

મોરબી એ ડીવીઝનના પીઆઇ એચ.એ.જાડેજાની ટીમે કાલિકા પ્લોટ વિસ્તારમાં ધામા નાખી આરોપીઓની 12 જેટલી મિલકત સીલ કરવાની કામગીરી કરી છે. આ સાથે વાહનો પણ જપ્ત કર્યા છે. હાલ સુધીમાં કુલ 15 મિલકતો સિલ કરવામાં આવી છે. આ ઉપરાંત લાયન્સનગરમાં પણ ભાડે આપેલ મિલકતો સિલ કરવામાં આવી છે.

ડીવાયએસપી પી.એ.ઝાલાના જણાવ્યા અનુસાર ગુજસીટોકના ગુનામાં 15 જેટલા આરોપીની 25થી વધુ મિલકતો ટાંચમાં લેવામાં આવશે. હાલ પોલીસ અને પાલિકા દ્વારા આ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી આ કાર્યવાહી ચાલશે. ત્યારબાદ જે મિલકતો સિલ થઈ છે તેની વિગતો જાહેર કરવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.