Abtak Media Google News

નાગેશ્રી આસપાસના ગામડાના ખેડૂતોને સીધો ફાયદો થશે

જાફરાબાદ તાલુકામાં આવેલ નાગેશ્રી આસપાસના ગામડાના ખેડૂતોની માંગણી હતી અહીં પાણીની જરૂરિયાત હોવાને કારણે પાણી આપવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી અહીં સ્થાનીક લોકો દ્વારા રવુભાઇ ખુમાણને રજૂઆતો કરવામાં આવી હતી

ત્યારબાદ રવુભાઇ ખુમાણ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને રજુઆત કરતા ખાંભા રાયડી ડેમ નો દરવાજો ખોલી પાણી આપવામાં આવ્યું છે જેના કારણે પાણી વેહ્તું થયું છે અને હાલ ખેડૂતોના પાક માટે આજે આ પાણી ઘણું મોટું જીવનદાન આપી શકે છે

ભાજપ નેતા રવુભાઇ ખુમાણ દ્વારા જણાવાયું હતું આ પાણી આપવાથી નાગેશ્રી સહીત આસપાસના ગામડાના ખેડૂતોને ફાયદો થશે અને રાજ્ય સરકાર અને ધારાસભ્યનો પણ આજે ખેડૂતો આભાર માની રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.