Abtak Media Google News

આપણામાં એવી માન્યતા છે કે ઓછું જમવાથી કે દોડવાથી ચરબીમાં ઘટાડો  થાય છ પણ તાજેતરમાં થયેલા સંશોધનમાં એવી વિગતો બહાર આવી છે કે ચરબી આ રીતે ઓગળતા નથી કે દૂર થતી નથી પણ ચેતા કોષોની સક્રિયતાથી દૂર થાય છે.

મેડીકલ જર્નલ નેચરમાં ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગો પરથી જાણવા મળ્યું છે કે ચરબી બાળતા ચેતા કોષો પણ ઓળખાવેલી શકિત ધરાવે છે. જો તેમને યોગ્ય સંદેશા આપવામાં આવે તો ને વિકાસ પામે છે આ સંદેશા એટલે હોર્માન લેપ્ટીન છે. જેને ચરબીના કણો દ્વારા સ્વયં છોડવામાં આવે છે. ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોથી જાણવા મળ્યું છે કે ચેતા કોષોમાં લેપ્ટીનની ગેરહાજરીમાં ચરબીના કોષો ઓગળી જાય છે અને લેપ્ટીન હોર્મોન આપતા ફરી વિકસે છે.

આ ફેરફાર બતાવે છે કે પ્રાણીમાં ચરબીમાં રહેલી શકિતને બાળવાની તાકાત છે.

રોકફવર યુનિવર્સિટી ખાતેના મોલેલુલર જીનેસીસ્ટ જેફરી એમ. ફીડમેને જણાવ્યું હતું કે જેમ જેમ પ્રવાહીનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેના ચેતા તંત્રમાં ફેરફાર થતા રહે છે. જો આમ આગળ સંશોધનો થશે તો મેદસ્વિતા અને તેને આનુષાંગિક રોગો તથા ચરબી ઓગાળવા માટેની નવી ટેકનીક શોધવામાં સફળતા મળશે.

ઉંદરોમાં જયારે સ્વયં લેપ્ટીન હોર્મોન બનતો નથી ત્યારે અને જયારે આ હોર્મોન આપવામાં આવે છે. ત્યારે શું થાય છે? તેના ઉપર સંશોધન ચાલે છે.આ હોર્મોન ચરબી અને મગજ વચ્ચે સંદેશા મોકલે છે. ચેતા કોષને સંદેશો મળતા ભૂખ ઓછી થાય છે. અને વજન જાળવવા શકિત ખર્ચાય છે. ઉંદરો પર થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે ઉંદરોને જીનેટીકલી લેપ્ટીન ઉત્પન્નન કરતા બંધ કરવામાં આવ્યા ત્યારે સામાન્ય વજનથી ત્રણ ગણુ વજન વધ્યું હતુ.

જેમ વજન વધતુ ગયું તેમ તેમ વધુ ખાવા લાગ્યા અને હેરફેર પણ બહુ ઓછી કરતા જોવા મળ્યા હતા આ ઉપરાંત આવી સ્થિતિમાં તેના શરીરમાં પૂરતી ગરમી ઉત્પન્ન થઈ શકતી ન હોવાથી તે વદુ પડતી ઠંડી પણ સહન કરી શકતા ન હતા. તેને જેવા લેપ્ટીનનો ડોઝ આપવામાં આવ્યો હતો સાથેજ આષછુ ખાવા લાગ્યા અને વધુ હેરફેર કરતા જોવા મળ્યા હતા.

ઉંદરો પર આ પ્રયોગ બે અઠવાડીયા લંબાવવામાં આવતા વધુ ફેરફાર જોવા મળ્યા પ્રાણીએ સફેદ ચરબીનાં ભોગવાથી શરૂ કરી હતી સામાન્ય સંજોગોમાં વધારાની કેલેરી ચરબીનાં કણમાં સંગ્રહ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.