Abtak Media Google News

મોરબી તાલુકાના ફડસર ગામે દેવીપૂજક વિસ્તારમાં આજે કોઈ કારણોસર આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ આગમાં ૭ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે દેવીપૂજક વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ૭ જેટલા ઝૂંપડાઓ બળીને ભસ્મ થઈ ગયા હતા. બાદમાં આગ પર પાણીનો મારો ચલાવવામાં આવતા આગ કાબુમાં આવી હતી.

દેવીપૂજક વિસ્તારમાં લાગેલી આગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. હાલ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.