ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અવાર નવાર અકસ્માતના બનાવો સર્જાય છે. ત્યારે કેટલાક બનાવોમાં લોકો જીવન પણ ખોઈ બેસ્યા હોવાના કિસ્સાઓ બન્યા છે. ત્યારે ધ્રાંગધ્રા માળવણ હાઈવે પાસે આવેલ દુદાપરગામથી એક કિ.મી. દૂર અમદાવાદ તરફ જતી ઈકો કાર નં જી.જે.૩ એચ.એ. ૨૫૧૩ના ચાલકે અચાનક પોતાની કાર પરથીકાબુ ગુમાવતા રોડની સાઈડ પર કાર ઉતરી જતા ઈકોકાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં ઈકોકારમાં બેઠેલ અંદાજે સાતથી આઠ શખ્સોને નાની મોટી ઈજા થવા પામી હતી. ઈકોકાર પલ્ટી જતા હાઈવે પરથી નિકળતા ૧૦૮ના પાઈલોટ પ્રધ્યુમનસિંહ તાત્કાલીક પહોચી તમામ ઈજાગ્રસ્ત ૧૦૮ની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જયાં ૩ મહિલાઓને ગંભીર ઈજાઓ થતા તેઓને રીફર કરી અન્ય સામાન્ય ઈજા પામેલ દર્દીઓને સારવાર અપાઈ હતી. જોકેઆ બનાવમાં સદનસીબે કોઈ પણ જાનહાની થઈ ન હતી. હાલ ૩ મહિલા ઓ સહિત તમામ ઈજાગ્રસ્તો સુરક્ષીત હોવાનું મનાય છે.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ