Abtak Media Google News

પર્વતો, જંગલો, ધર્મ સ્થળોએ ફરવા જવા માટે પૂરતી એર કનેક્ટીવીટી વેકેશન માળનારાઓને કરાવી દેશે મજોમજો

ઉનાળુ વેકેશન નજીક છે તેવામાંઆકરી ગરમીથી બચવા પ્રવાસનનોશ્રેષ્ઠ સમય આવી ગયો છે. વળી અમદાવાદ એરપોર્ટથી હરવાફરવાના સ્થાનોનીએર કનેક્ટીવીટી સુગમ થતા સોનામાં સુગંધ ભળે તેવો સમન્વય સર્જાયો છે.સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ લોકોને મનપસંદ સ્થળોની મુસાફરી સુગમ બને અને તેમાંઅવનવા સ્થળો ઉમેરાય તે માટે એરલાઈન્સની મદદથી પ્રયાસરત છે. દેહરાદૂન, મસૂરી, ઋષિકેશ અને ઉત્તરાખંડના પર્વતીય સ્થળોનેખુંદવા ઇચ્છતા લોકો અમદાવાદથી દેહરાદૂન દૈનિક સીધી ફ્લાઇટથી મુસાફરી કરી શકે છે.

આ વેકેશનમાં જમ્મુનીડાયરેક્ટ ફ્લાઇટથી યાત્રાધામ વૈશ્નૌદેવી જવાનું સાવ સરળ બન્યું છે.વળી હિમાચલ પ્રદેશ કે કાશ્મીરમાં પણ રજાઓ માણવાનોપ્લાન કરી શકાય છે. ડેલહાઉસી, ધર્મશાલા અને હિમાચલ પ્રદેશના અન્ય સ્થળોનાપ્રવાસ માટે જમ્મુ શ્રેષ્ઠ સ્થળ છે. હિમાચલ પ્રદેશનોપ્રવાસમાણવા માટે અમૃતસર અને ચંદીગઢની ફ્લાઇટ્સ પણ અમદાવાદ એરપોર્ટ પરથી ઉપલબ્ધ છે. તો ડેલહાઉસી, ધર્મશાળા, સોલંગ, મનાલી અને શિમલા જેવા સ્થળો ધરાવતું હિમાચલ પ્રવાસન માટે લોકપ્રિય છે. એડવેન્ચર પ્રેમીઓ અમૃતસર, જમ્મુ અથવા ચંદીગઢની ઉડાન ભર્યા બાદ મનાલી કે જમ્મુ થઈને શ્રીનગર અથવા લેહ સુધી ડ્રાઇવિંગ અથવા બાઇક રાઇડ કરવાનું પસંદ કરે છે. જો કે જૂનથી શ્રીનગરની સીધી ફ્લાઈટ શરૂ થવાની સંભાવના છે. હાલતેવાયા ચંદીગઢ ’ધરતીના સ્વર્ગ’ શ્રીનગર સાથે પણ જોડાયેલું છે.

વન્યજીવન ઉત્સાહીઓ જયપુરથી સીધા જ પંતનગર જઈ જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં સમય ગાળી શકે છે.પંતનગર, નૈનીતાલ અને ઉત્તરાખંડના પ્રવાસન સ્થળોનીકનેક્ટીવીટી ઉત્તમ છે.

પૂર્વીય ભારત નામ નપસંદ પર્વતીય સ્થળો પણ અમદાવાદ સાથે સારી રીતે જોડાયેલા છે. દાર્જિલિંગ, ગંગટોક કે કાલિમપોંગ માટે બાગડોગરા સીધી ફ્લાઇટથીજઈ શકાય છે. દિલ્હી વાયા ડિબ્રુગઢની ચાર સાપ્તાહિક ફ્લાઈટ્સ અને દિલ્હી વાયા ગુવાહાટીની દૈનિક ફ્લાઈટ સેવન સિસ્ટર રાજ્યોના પ્રવેશદ્વાર આસામ સાથે કનેક્ટેડ છે.

દક્ષિણ ભારતના વન્યજીવનઅને હિલ સ્ટેશનો પણ અમદાવાદ સાથે સારી રીતે જોડાયેલા છે. ઉદાહરણ તરીકે, કોઇમ્બતુરથી ક્વીન ઓફ હિલ સ્ટેશન્સ ઉટી (7 સાપ્તાહિક ફ્લાઇટ્સ વાયા ચેન્નાઇ અને હૈદરાબાદ);પહોંચી શકાય છે. અન્ય વિકલ્પોમાં બાંદીપુર નેશનલ પાર્કનો સમાવેશ થાય છે, જેમાં 800 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 120 થી વધુ વાઘ અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વનો સમાવેશ થાય છે. ઉપરાંત, ચેન્નાઈથી વેદાંથંગલ પક્ષી અભયારણ્યનેમાણવાનો લાભ પણ લઈ શકાય છે.

ટૂંકી સફરમાં તમે પૂણે જઈને લોનાવાલા અને ખંડાલાનાપ્રવાસનોપ્લાન બનાવી શકો છો. બામ્બુ વિલેજ તરીકે ઓળખાતું બેલગામદૈનિક ફ્લાઇટ સાથે સારી રીતે જોડાયેલું છે. અમદાવાદથી નાગપુર જવા માટે ઉડાન ભરીને ભારતના મુખ્ય ટાઈગર રિઝર્વમાંનું એક પેંચ નેશનલ પાર્ક અને મહારાષ્ટ્રના સૌથી જૂનાં અને સૌથી મોટાં રાષ્ટ્રીય ઉદ્યાન તાડોબા ટાઈગર રિઝર્વની મુલાકાત લઈ શકો છો.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ શહેરની એર કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં SVPIA દરરોજ 240 થી વધુ ફ્લાઈટ્સ અને સરેરાશ દૈનિક ધોરણે 31000 થી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે. SVPI  એરપોર્ટથી કનેક્ટિવિટી મજબૂત કરવા ઉનાળું સમયપત્રકમાં અમદાવાદને 9 સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય એરલાઇન કેરિયર્સ સાથે 39 સ્થાનિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.