Abtak Media Google News

આગામી દિવસોમાં લંકાપતિ રાવણનું શિખર બંધ મંદિર બનશે: રવિબાપુ

ગુજરાતમાં લંકા પતિ રાવણની મુર્તિની સ્થાપના પહેલી વખત ભાવનગરમાં કરવાામાં આવેલ છે આ મૂર્તિની સ્થાપના રવિબાપુ દ્વારા કરવામાં આવેલ છે રવિ બાપુનું કહેવું છે કે મને સાધનાની અનુભૂતિ કહેતા ખુબ જ આનંદ થાય છે કે અઘોર સાધના મારી પુણાહુતિ થઇ ચૂકી છે. વૈરાગી મહાદેવની અસીમ કૃપાથી તાંત્રિક સાધના શરુઆત કરવા જઇ રહ્યો છું તંત્ર મંત્ર યંત્ર  તિલક દ્વારા તાંત્રિક વિધિ વિધાનથી મંત્રો દ્વારા અગિયાર લાખ આહુતિ લંકાપતિ રાજા રાવણની સિઘ્ધી પ્રાપ્તિ માટે કરવા જઇ રહ્યો છું તો આપ સવૌને મારી આત્મા જણાવતા ખુબ જ આનંદ થાય છે કે આવનાર સમયમાં લંકાપતિ રાજા રાવણનું હર વર્ષે દશેરાના દિવસે દહન થઇ રહ્યું છે તે રાવણ દહન બંધ થશે એ મારી ભવિષ્ય વાણી છે અને આવનાર દિવસોમાં શિવ ભકત લંકાપતિ રાજા રાવણનું શિખર બંધ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સૌરાષ્ટ્રમાં થશે એ પણ મારી ભવિષ્ય વાણી જણાવી રહ્યો છું આવનાર દિવસોમાં તાંત્રિક સાધના પુણ બાદ ઘોર ત્રાટક સાધના પ્રાચીન મંત્રો દ્વારા શરુ કરવા જઇ રહ્યો છુ તો આપ સૌ શિવ ભકતોને તથા ભૂદેવ સમાજને પોતાની અંતરથી વૈદના થી જણાવી છું કે સૌરાષ્ટમાં લંકાપતિ રાજા રાવણનું શિખર બંધ મંદિર અવશ્ય બનશે શિવ ભકતોને તથા ભૂદેવ સમાજને હું એક સાધક થઇને શિવ ભકત પુજનીય લંકાપતિ રાજા રાવણ દશેરામાં દહન બંધ કરવા માટે તમને મારી ભવિષ્ય વાણી જણાવી રહ્યોછું તો તમામ શિવ ભકતો તથા બ્રહસમાજ અને તમામ અન્ય સમાજને એક બ્રાહ્મણ સાધનને આપ સૌ સાથ મળે તેવી મારી ઇચ્છા ધરાવું છું જય ભુત ભવિષ્ય નાથ મહાદેવ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.