Abtak Media Google News

દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા પ્રવર્તમાન સ્થિતિને ઘ્યાને લઇ વહાલુડીના વિવાહનો પ્રસંગ સાદાઇથી ઉજવાશે

રાજકોટને ભાગોળે ઢોલરા ગામે પોતાના સંતાનોથી તથા વ્હાલાઓથી દુભાયેલા અને તરછોડાયેલા વડીલ માવતરો માટેનું પોતીકુ ઘર અને પરિવાર એટલે દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ જયાં વડીલ માવતો છેલ્લા વીસથી વધુ વર્ષોથી પોતાની જીંદગીની પાછોતરી ટાઢક મેળવી રહ્યા છે. દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ સહિત અનેક સેવા પ્રકલ્પો સાથે જોડાયેલા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટની ૧૫૧ જેટલા કર્મષ્ઠ કાર્યકર્તાઓની ટીમ દ્વારા આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં દીકરીઓના ઘરમાં આંગણે વહાલુડીના વિવાહ નામે રર દીકરીઓનો લગ્ન પ્રસંગ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે વહાલુડીના વિવાહ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રચલીત બનેલ છે અને એક બ્રાન્ડના સ્વરુપમાં ઉભરી આવેલ છે.

Advertisement

વહાલુડીનો વિવાહ-૩ લગ્નોત્સવ અંગેની માહીતી આપતા દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમના મુકેશભાઇ દોશી, પ્રભાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, શીવલાલભાઇ આદ્રોજા, મૌલેશભાઇ ઉકાણી, ડો. નિદત બારોટ, અનુતમ દોશી તેમજ નલીન તન્નાએ જણાવ્યું છે કે પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને ઘ્યાને લઇને દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમની મળેલ મીટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ ચાલુ સાલ આ પ્રસંગ અત્યંત સાદાઇથી અને ગરીમાપૂર્ણ રીતે ઉજવવો, આગામી જાન્યુઆરી તેમજ ફેબ્રુઆરી-૨૦૨૧માં પિતાની છત્રછાયા ગુમાવેલ રર વહાલી દીકરીઓના ઘર આંગણે પ્રસંગ યોજી તેમાં ૧ લાખ રૂ. નો કરીયાવર દીકરીને ભેટ સ્વરુપે આપવો તેવું નકકી કરવામાં આવેલ. આ માટે નિયમ મુજબની અરજીઓ મંગાવવી અને જરુરીયાતને ઘ્યાને લઇ દીકરીઓને પસંદ કરી યાદી બહાર પાડી કરીયાવર અપાશે. પ્રત્યેક દીકરીના લગ્નમાં સંસ્થાના કાર્યકરો હાજર રહેશે અને પ્રત્યેક કાર્યકર્તા એક એક દીકરીની જવાબદારી ઉપાડશે.

રૂ. ૧ લાખનો કરિયાવર ભેટ અપાશે

વહાલુડીના વિવાહ-૩ અંગેની વિશેષ માહિતી આપતા સુનીલ વોરા, હસુભાઇ રાચ્છ, કીરીટભાઇ આદ્રોજા, હરેશભાઇ પરસાણા, ધીરુભાઇ રોકડ, કીરીટભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું છે કે આખું વર્ષ દીકરી વહાલુડીના વિવાહ પ્રસંગની રાહ જોઇને બેઠી હોય એવી દીકરીના લગ્ન થાય તે અત્યંત જરૂરી જણાતા ચાલુ સાલ મોટો પ્રસંગ ન ઉજવતા દીકરીના ઘરે લગ્નનો મંડપ બંધાય અને ત્યાં કાર્યકર્તાઓ હાજરી પૂરાવી ૧ લાખ રૂ. નો કરીયાવર ભેટ આપે તેવું જાજરમાન આયોજન સંસ્થા દ્વારા હાથ ધરાયું છે. આ માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવેલ છે આ વર્ષે પણ સંસ્થાના કાર્યકર્તાઓમાં વ્યાપક પ્રમાણમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળેલ છે.

આવી રીતે, અહીં નોંધાવી શકાશે નામ

વહાલુડીના વિવાહ-૩ પ્રસંગની વિસ્તૃત માહિતી આપતા ઉપેનભાઇ મોદી, સુનીલ મહેતા, ધર્મેશ જીવાણી, રાકેશ ભાલાળા, પ્રવિણ હાપલીયા તેમજ પ્રજ્ઞેશભાઇ પટેલ જણાવ્યું છે કે સંસ્થા દ્વારા આગામી તા. ૧પમીથી એક મહીનો ૩૦૫ ગુરૂરક્ષા કોમ્પલેક્ષ ભારત ટ્રાવેલ્સની બાજુમાં ટાગોર રોડ ઉપરથી જરૂરીયાત મંદ દીકરીઓને ફોર્મ આપશે. ત્યારબાદ દીકરાનું ઘર ની ટીમ દ્વારા પ્રત્યે દીકરીના ઘરે જઇ તપાસ કરાશે અને તેમાંથી જરુરીયાત મંદ દીકરીઓ પસંદ કરાશે. આ લગ્નોત્સવમાં પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓ તેમજ માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓને જ પસંદ કરવામાં આવશે.

સંસ્થાનાશ્રી હરેનભાઇ મહેતા, હરદેવસિંહ જાડેજા, ગૌરાંગભાઇ ઠકકર, ડો. શૈલેષ જાની સહિતના દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું છે કે ચાલુ સાલ  પ્રવર્તમાન પરિસ્થિતિને ઘ્યાને લઇ પ્રસંગ સાદાઇથી ઉજવાશે. આવતા વર્ષે ફરી વહાલુડીના વિવાહ નો પ્રસંગ રાજકોટને આંગણે જાજરમાન રીતે શહેરીજનોની ઉ૫સ્થિતિમાં ભવ્યાતીભવ્ય રીતે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. આ પ્રસંગે માત્ર દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમો ન બની રહે સમગ્ર રાજકોટનો પ્રસંગ બની રહે તે રીતે ઉદારતાથી સહયોગ આપવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.

‘વહાલુડીના વિવાહ-૩’ ની સમગ્ર જવાબદારી ઉઠાવનાર ‘દીકરાનું ઘર’ની મહિલા ટીમ

ચેતનાબેન પટેલ, નિશા મારૂ, અલ્કા પારેખ, ડો. ભાવનાબેન મહેતા, અરૂણાબેન વેકરીયા, ઋચિતાબેન રાઠોડ, ગીતાબેન  વોરા, ડિમ્પલબેન કાનાણી, ગીતાબેન એ. પટેલ, રાધીબેન જીવાણી, કાશ્મીરા દોશી, કલ્પનાબેન દોશી, પ્રિતી વોરા, પ્રિતી તન્ના, કિરણબેન વડગામા, રુપા વોરા, વર્ષાબેન આદ્રોજા, અંજુબેન સુતરીયા, ગીતાબેન કે. પટેલ, તૃપ્તિબેન પરસાણા, છાયાબેન મહેતા, હેતલબેન માવાણી, મૌસમી કલ્યાણી, આશાબેન હરીયાણી, રંજનબેન આદ્રોજા, શિલ્પાબેન સુરાણી, દક્ષાબેન હાપલીયા, ફાલ્ગુનીબેન કલ્યાણી સહિતના બહેનોની ટીમ બનાવવામાં આવી છે જે વહાલુડીના વિવાહ-૩ નું સંપૂર્ણ તૈયારી કરશે.

વહાલુડી વિવાહ-૩ સંદર્ભની કોઇપણ માહીતી માટે ૩૦પ, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં ટાગોર રોડઢ ઉપર સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી સંપર્ક કરવો અથવા મુકેશ દોશી મો. નં. ૯૮૨૫૦ ૭૭૭૨૫ તેમજ સુનીલ વોરા મો. નં. ૯૮૨૫૨ ૧૭૩૨૦ નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.