Abtak Media Google News

૬૮૮ આવાસ માટે ૧૬૦૫ ફોર્મ ભરાઈ પરત આવ્યા:૨૨મી સુધી ફોર્મ સ્વીકારશે

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂડા દ્વારાનિર્માણાધિન વિવિધ કેટેગરીના ખાલી ૬૮૮ આવાસો અંગે હાલ ફોર્મ ચાલુ છે. ૬૮૮ આવાસની સામે ૧૬૦૫ અરજીઓ   આવી  છે. જેમાં ૧૦૪ અરજીઓ ઓનલાઈન સીસ્ટમ અનુસાર આવેલ હતી. હજુ એક દિવસના ફોર્મ આવવાના બાકી છે. આ સમયગાળા દરમિયાન રૂડા કચેરીને આવેલ રજુઆત અનુસાર હાલ મહાનગરપાલિકાના ફોર્મ પણ ભરવાના ચાલુ હોઈ મામલતદારના આવકના દાખલામાં વેઈટીંગ ને કારણે લોકોમાં ફોર્મ ભરવા અંગે મુંજવણ ઉભી થયેલ છે.

આ બાબતને ધ્યાને લેતા રૂડા કચેરી દ્વારા ઈ ડબ્લ્યુ એસ ૧, ઈ ડબ્લ્યુ એસ ૨ તથા એલ આઈ જી કેટેગરીના ફોર્મ ભરીને ડીપોઝીટ સાથે પરત કરવાની મુદત  તા.૨૨ મી સુધી  લંબાવવા અંતે નિર્ણય કરેલ છે. આ સમયગાળા દરમિયાન નવા ફોર્મ મળી શકશે નહિ ફક્ત ફોર્મ ભરી ને પરત આપવા અંગે સમય વધારેલ છે. તો અરજદાર આખરી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરે એવો અનુરોધ છે. જે ઈચ્છુક અરજદાર ૧૬મી સુધી ફોર્મ જમા કરાવી શકેલ નથી તે અરજદાર દ્વારા વહેલી તકે ફોર્મ જમા કરાવી દેવા.તથા એમ આઈ જી કેટેગરી માટે ફોર્મ મેળવવા તથા ડીપોઝીટ સાથે ફોર્મ ભરી પરત આપવાની તારીખ ૨૨ સુધી લંબાવેલ લંબાવવા નિર્ણય કરેલ છે. ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે આઈસીઆઈસીઆઈ બેંકનો સંપર્ક કરવાનો રહશે.વધારેલ મુદત દરમિયાન જે અરજદાર ને ફોર્મ લેવાનું બાકી રહેલ છે અને ફોર્મ ભરવા ઈચ્છુક છે તેવા અરજદાર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે અંતે રૂડા કચેરીની વેબસાઇટ www.rajkotuda.com, www.rajkotuda. co.in પરથી તા. ૨૨ મી સુધીમાં ફોર્મ ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.