Abtak Media Google News

પથ્થરમારાથી મુસાફરો ભયભીત થયા: આટકોટ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.

જસદણ એસ.ટી.ડેપોની બસ પર કોઈ અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી કાચ તોડી નાખતા આ અંગે આટકોટ પોલીસ મથકમાં ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ થયેલ છે. આ અંગેની વિગત એવી છે કે જસદણ ડેપોની જી.જે.૧૮ વાય ૫૪૩૯ નંબરની એસ.ટી. રાજકોટથી વિરનગર આવી પહોંચતા ત્યાં સ્મશાન નજીક બે બાઈક રાખેલ.

ચાર શખ્સો ડ્રાઈવર સમજે તે પહેલા પાણાવાળી કરતા મુસાફરોમાં ભયભીત બની ગયા હતા. આ અંગે બસના ડ્રાઈવર એ સમય પારખી કામ લેતા કોઇ મુસાફરોને ઈજા થઈ નહોતી. એસ.ટી.બસને પાંચ હજારનું નુકસાન પહોંચતા ડ્રાઈવર મનોજભાઈ રાઠોડની ફરિયાદ પરથી આટકોટ પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.