Abtak Media Google News

મૃતદેહને કુવામાં ફેંકી પુરાવાનો નાશ કર્યાનો નોંધાતો ગુનો

ગઢડાના પ્રહલાદગઢ ગામના કૂંવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યા બાદ મૃતક ગઢડાનો કોળી યુવાન હોવાની ઓળખ મળી આવી હતી અને યુવાનની અજાણ્યા શખ્સોએ ગળુ દાબી હત્યા કરી લાશને કૂંવામાં ફેંકી પુરાવાનો નાશ કર્યાનું બહાર આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ખૂનનો ગુનો નોંધાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડાના ગઢાળી રોડ પર રહેતા લાલજીભાઇ ત્રિકમભાઇ ઝાપડીયા નામના 32 વર્ષના કોળી યુવાનની પ્રહલાદગઢ ગામેના કૂંવામાંથી લાશ મળી આવી હતી. પોલીસે આ અંગે તપાસ કરતા અજાણ્યા શખ્સોએ ગળાટૂંપો દઇ હત્યા કયા4 બાદ લાશને કૂંવામાં ફેંકી દીધાનું બહાર આવ્યું હતું.

લાલજીભાઇ ઝાપડીયા પોતાના ઘરે રાત્રે જમીને થોડીવારમાં આવવાનું કહીને જતો રહ્યા બાદ ઘરે પરત આવ્યો ન હોવાથી પરિવાર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી તે દરમિયા સંબંધી ધર્મેશ ધીરૂભાઇ ઝાપડીયાએ લાલજી ઝાપડીયાનું બાઇક પ્રહલાદગઢ ગામની સીમમાં પડયું હોવાનું તેના ભાઇ સંજયને જાણ કરતા તે પરિવાર સાથે પ્રહલાદગઢ ગામે દોડી ગયા હતા.કૂંવા પાસે બાઇક હોવાથી કૂંવામાં ફાયર બ્રિગેડની મદદથી તપાસ કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. લાલજી ઝાપડીયાને અજાણ્યા શખ્સોએ ગળાટૂંપો દઇ હત્યા કર્યાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અભિપ્રાય આપવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.