Abtak Media Google News

ખૂન કા બદલા ખૂન

9 માસ પહેલા થયેલી હત્યાનો બદલો લેવા પાંચ શખ્સોએ બંદૂકમાંથી ફાયરિંગ કરી છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું

અબતક, રાજકોટ

ચોટીલા-થાન રોડ પર ગઈ કાલે દિનદહાડે સરા જાહેર ઝીંઝુડાના સ્ટેટ પરિવારના મોભીની પાંચ શખ્સોએ બંદૂકમાંથી ફાયરિંગ કરી છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરી હોવાની ઘટના પોલીસ મથકે નોંધાતા ઇન્ચાર્જ પીઆઈ એસ.એસ.વરૂ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં 9 માસ પહેલા મૃતકે કરેલા ખૂનના બદલામાં હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઈ કાલે દિનદહાડે ઝીંઝુડા સ્ટેટ પરિવારના મોભી ધર્મેન્દ્રભાઈ શાંતુંભાઈ ખાચર થાન રોડ પર હતા ત્યારે ધસી આવેલા અનક અરજણ ગાંગડીયા, વિનુ વિરજી ગાંગડીયા, ભુપત કાળુ ગાંગડીયા, રાયધન ઉર્ફે ભાદા કાળા ગાંગડીયા અને લખમણ વિરજી ગાંગડીયાએ સરા જાહેર બંદૂકમાંથી ફાયરિંગ કરી અને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઇ છે.

ચોટીલામાં મિર્ઝાપુરની જેમ સરા જાહેર ધડા-ધડા બંદૂકમાંથી ફાયરિંગ અને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતા. સરા જાહેર ફાયરિંગ તગતા ચોટીલામાં અફરા-તફરી મચી ગઇ હતી.ઘટનાની જાણ થતાં જ ચોટીલા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ 9 માસ અગાઉ ઝીંઝુડામાં દારૂ પીને ગાળો બોલવા બાબતે ધર્મેન્દ્ર ખાચરે માવજીભાઈ ગાંગડીયાને પાઇપ વડે માર માર્યો હતો. જેમાં 23 દિવસની સારવાર બાદ માવજીભાઈનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેનો બદલો લેવા માટે ગઈ કાલે પાંચ શખ્સોએ ધર્મેન્દ્ર હૈ ખાચર પર ફાયરિંગ અને છરી વડે હુમલો કરી હત્યા કરતા ચકચાર મચી છે. પોલીસે પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથધર્યા છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.