Abtak Media Google News

ગોધરા સમાચાર

મંગળવાર ગોઝારો સાબિત થયો છે. ગોધરા દાહોદ હાઇવે ઉપર ગોઝારા અકસ્માતમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. મોડી રાતે ગોધરા-દાહોદ હાઈવે પર રસ્તા પર ઉભેલી લક્ઝરી બસને પાછળથી આવતી બસે ટક્કર મારી હતી. જેમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ગોધરા દાહોદ હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે ઉપર જ પાર્ક કરી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય ખાનગી બસે ટક્કર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.