Abtak Media Google News

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ અમિત શાહ આગામી 24 ડિસેમ્બરે એટલે કે રવિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન સોમવારે સવારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેઓ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરશે. જે બાદ બપોરે અઢી વાગ્યાની આસપાસ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલ પાનસર તળાવનું લોકાર્પણ ઉપરાંત વિવિધ વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.અમિત શાહ વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કરશે.

બપોરે સાડા 3 કલાકે અમિત શાહ કલોલ ખાતે આયોજિત વિશાળ એકતા સંમેલનમાં હાજરી આપશે. જ્યાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. જે બાદ સાંજે 5 વાગ્યાની આસપાસ ગાંધીનગરમાં સાંસદ ખેલ પ્રતિયોગિતાનો શુભારંભ કરાવશે. છેલ્લે સાંજે 7 કલાકે અમિત શાહ અમદાવાદના નવરંગપુરામાં ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.