Abtak Media Google News

ઉમેશ પાલ મર્ડર કેસમાં ફરાર માફિયા અતીક અતીકના પુત્ર અસદ અને તેના સાથી ગુલામને યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. બંને પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. UP STFની આ મોટી કાર્યવાહી ઝાંસીમાં થઈ છે.

Advertisement

એસટીએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે આ લોકોને ઘેરી લેવામાં આવ્યા ત્યારે અસદ અને ગુલાબે ગોળીબાર શરૂ કરી દીધો હતો ત્યારે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરતા  બંને માર્યા ગયા હતા. UP STF ADG અમિતાભ યશે આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. એસટીએફનો દાવો છે કે તેમની પાસેથી વિદેશી હથિયારો પણ મળી આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.