Abtak Media Google News

આજે કારતક સુદ પાંચમને લાભ પાચમના શુભ દિને શહેરનાં આશ્રમ રોડ પર આવેલા અને માનવ સેવાની પ્રવૃત્તિઓથી ધમધમતા સદગુરૂ આશ્રમમાં પૂ. રણછોડદાસજી બાપુને ભવ્ય અન્નકૂટ ધરાયો છે. ગઈકાલે પૂ. રણછોડદાસ મહારાજની જન્મજયંતિ નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો, મહાભંડારો યોજાયો હતો. આજે સદગુરૂદેવને મીઠાઈ, વિવિધ જાતના ફરસાણ, ફળો સહિત અનેક વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો છે. આજે ભવ્ય અન્નકૂટ દર્શનનો બહોળી સંખ્યામાં ગુરૂભકતોએ લ્હાવો લીધો છે અને ધન્યતા અનુભવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.