Abtak Media Google News

ઉંઝા મંદિરના હોદેદારો ઉપરાંત ૧પ૦૦૦ થી વધુની મેદની ઉમટી

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ચારેબાજુ પડધમ વાગી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સુરત ખાતે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો હોદેદારો દ્વારા પ્રસાચ-પ્રસાર કરાયો હતો.

Img 20191206 Wa0014

આ અવસરે સુરત શહેરની ૧પ૦૦૦ થી વધુની મેદની ઉમટી પડી હતી. સુરતમાં માં ઉમિયાના મંદિરે સ્વાગત સાથે સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો.જેમાં લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરા (સનહાર્ટ ગ્રુપ)નું ફુલહાર પહેરાવી ભવ્ય સન્માન કરાવામાં આવ્યું હતું. આ અવસરે સુરતના પ્રમુખ જશુભાઇ પટેલ (બોમ્બેવાળા), ઉપપ્રમુખ તુલસીભાઇ પટેલ તથા પૂર્વ પ્રમુખ ગણેશભાઇ પટેલ સહીત અન્ય હોદેદારો તથા ઉંઝા મંદિર મુકામેથી હોદેદારો, કારોબારી સભ્યો તથા સમસ્ત પાટીદાર સમાજ હાજર રહ્યો હતો. કુલ ૩ર સમાજના મુખ્ય મેમ્બરો ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.