Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»‘સનાતન’ના વિવાદને ઠારવા સરકાર સક્રિય, સીએમની બપોર બાદ બેઠક
Gujarat News

‘સનાતન’ના વિવાદને ઠારવા સરકાર સક્રિય, સીએમની બપોર બાદ બેઠક

By ABTAK MEDIA04/09/20233 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

‘સનાતન’ના વિવાદને ઠારવા સરકાર સક્રિય બની છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બપોર બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક યોજવાના છે. બીજી તરફ દિલ્હીમાં વડાપ્રધાને મુખ્યમંત્રીને તાકીદે તેડાવ્યા તેમાં ગુજરાતમાં ઉભા થયેલા વિવાદને શાંત પાડવાના નિર્દેશ અપાયા હોય તેવી પણ ચર્ચા જાગી છે.

સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ મામલે અગાઉ સ્વામિનારાયણના સંતોની બેઠક મળી હતી. આ બેઠક અંદાજે ત્રણ કલાક ચાલી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના 6 મુખ્ય મંદિરો અમદાવાદ, ધોલેરા, જૂનાગઢ, ભૂજ, ગઢડા અને વડતાલના 50 જેટલા સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યાં હતા. જોકે આ વિવાદનો હવે બે દિવસમાં સુખદ અંત આવે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી નિર્દેશ મળી રહ્યા છે. એટલે શું હવે ઘીના ઠામમાં ઘી પડી જશે?

સાળંગપુરમાં જે વિવાદાસ્પદ ભીંતચિત્રો લગાવવામાં આવ્યા હતા તે અંગે છેલ્લા એક સપ્તાહથી સનાતન ધર્મમાં માનતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કેટલાક લોકોએ તો વિવાદાસ્પદ ભીંતચિત્રો પર કુહાડીના ઘા પણ માર્યા હતા અને કાળા કલરનો પીછડો પણ ફેરવી દીધો હતો.

ALSO READ  સરદાર સરોવર ડેમના દરવાજા ખોલતા અનેક ગામો પાણી પાણી

આજે કરણીસેનાના આગેવાનો અને કરણી સૈનિકો સાળંગપુર જઇને ઉગ્ર આંદોલન કરવાના હતા ત્યારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતીબાપુ તેમજ 1008 મહામંડલેશ્વર મહેન્દ્રગીરીબાપુએ એક વીડિયો જાહેર કરીને સનાતન ધર્મના લોકોને સંદેશો પાઠવ્યો હતો કે, સાળંગપુરમાં લગાવાયેલા વિવાદાસ્પદ ભીંતચિત્રો અંગે જે આંદોલન શરૂ થયા છે, ત્યારે આ મુદ્દે સંબંધિત લોકો અને સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો સાથે હકારાત્મક વાતચીત થઇ છે અને બે કે ત્રણ દિવસમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે, અને જે ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે તે દૂર કરી દેવામાં આવશે.

દિલ્હીમાં વડાપ્રધાને મુખ્યમંત્રીને તાકીદે તેડાવ્યા તેમાં ગુજરાતમાં ઉભા થયેલા વિવાદને શાંત પાડવાના નિર્દેશ અપાયા હોય તેવી ચર્ચા

વિવાદાસ્પદ ભીંતચિત્રો સંદર્ભે આંદોલન શરૂ થયા તેની વચ્ચે સંપ્રદાયના કેટલાક સ્વામીઓએ ભીંતચિત્રો હટશે નહીં અને જે કોઇને પેટમાં દુખતું હોય તેઓને કોર્ટમાં જવા સલાહ આપવામાં આવી હતી. આથી સનાતનીઓમાં વધુ રોષ ભભૂક્યો હતો અને ઉગ્ર આંદોલન શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી ત્યારે ઇન્દ્રભારતીબાપુ અને મહામંડલેશ્વર મહેન્દ્રગીરીબાપુના પ્રયાસથી સુલેહનો સેતુ રચાયો છે ત્યારે મોટાભાગની સંસ્થા અને કરણીસેનાએ હાલ 3 દિવસ સુધી આંદોલન મોકૂફ રાખવાની પણ જાહેરાત કરી છે.

ALSO READ  માંડવીના કલાકારે PMનું  રેત શિલ્પ બનાવ્યું

સાળંગપુર વિવાદ અંગે ત્રણ કલાકની બેઠક બાદ વડતાલના સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, એક સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે. સમસ્ત સ્વામિનારાયણ સપ્રદાયના સંતો સનાતન પરંપરાનો એક ભાગ છે, આજે આ વિવાદનો સુખદ ઉકેલ આવે તેવો સૌ સંતોએ એક સૂરમાં કષ્ટભંજન દેવને પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાનો અને સંતો- સત્સંગના અગ્રણીઓ સાથે આજે અમૌએ સંત સમિતિની નિમણૂક કરી છે. તે સમિતિ ચર્ચા વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે. આપણા સનાધન હિન્દુ ધર્મના હિતનો નિર્ણય લેશે.

પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગિરનાર સાધુ મંડળના પ્રમુખ ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત મુદ્દે સંબંધિત વ્યક્તિઓ અને સંતો સાથે ચર્ચા વિચારણા થઇ ચૂકી છે. અને એકાદ બે દિવસમાં જ ભીંતચિત્રો હટી જશે અને સમગ્ર મામલે સારાંવાનાં થઇ જશે.

ALSO READ  શાપર: જૂની ફરિયાદનો ખાર રાખી બે મિત્રો પર હથિયાર વડે હુમલો

હવે સંઘર્ષ નહીં પણ સમન્વય થવો જોઈએ: વજુભાઇ વાળા

ભાજપના વરિષ્ઠ આગેવાન વજુભાઈ વાળાએ આ વિવાદને લઈને કહ્યું હતું કે, હનુમાનજી સૌના વડીલ છે. હવે સંઘર્ષ નહીં પણ સમન્વય થવો જોઈએ. હું ભારતીય સંસ્કૃતિના સંપ્રદાય સાથે છું. મૂર્તિ વિશેનો નિર્ણય સંતો કરશે.

Bhupendrapatel CM featured gujarat rajkot Sanatan
Share. Facebook Twitter WhatsApp
Previous Articleચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર સ્લીપ મોડમાં જાય છે, 22 સપ્ટેમ્બરે એક્ટિવેટ થવાની આશા
Next Article સૌરાષ્ટ્રમાં ઉત્સાહનો પાર નહિ રહે: લોકમેળાનો કાલથી શુભારંભ
ABTAK MEDIA
  • Website

Related Posts

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

22/09/2023

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.