Abtak Media Google News

આગામી તા.૨૭ જુલાઈના રોજ ઓશોસત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં ૪ વૈદવાડી રાજકોટ ખાતે ઓશો ગૂરૂપૂર્ણિમા ઉત્સવ નિમિતે એક દિવસીય ઓશો ધ્યાન સાધના શિબિરનું આયોજન આ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્ય પ્રકાશ દ્વારા કરવામાં આવેલ છે. આ શિબિરનું સંચાલન સ્વામી જીનસ્વ‚પ સરસ્વતી કરવામાં આવશે. સ્વામી સત્યપ્રકાશ ઓશોના કાર્ય સાથે છેલ્લા ૫૦ વર્ષથી સંકળાયેલા છે. તેઓ રાજકોટ ખાતે ઓશો ધ્યાન મંદિરનું કાર્ય છેલ્લા ૪૦ વર્ષથી કરે છે.

આ શિબિર માટે સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન ૭.૧૫ થી ૮ બ્રેક ફાસ્ટ, સવારે ૮.૩૦ થી ૧ વાગ્યા સુધી ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ, તથા વિશ્રામ બપોરે ૩ થી ૮.૩૦ સુધી વિડિયો દર્શન તથા વિવિધ ધ્યાન પ્રયોગો , સન્યાસ ઉત્સવ તથા સંધ્યા ધદ્યાન તેમજ સંધ્યા સત્સંગ બાદ સ્વામી અંતરપથિક ધ્યાન વિશે વાત કરશે. શિબિરમાં સહભાગી થવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જ‚રી છે  જેની વિશેષ માહિતી માટે સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી મો. ૯૪૨૮૨૦૨૨૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.