Abtak Media Google News

Kapil Sharma ના કોમેડી શોના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. પ્રાપ્ત માહિતી મુજબ, Kapil Sharma નો આ શો આવતા મહિને ટીવી પર વાપસી કરશે. છેલ્લા કેટલાક દિવસથી કપિલ શર્માની તબિયત ખરાબ હોવાના કારણે શોને હોલ્ડ પર રાખી લાંબો બ્રેક લેવામાં આવ્યો હતો. કપિલ શર્મા અત્યારે બેંગ્લોરમાં પોતાની આયુર્વેદિક સારવાર કરાવી રહ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, અત્યારે તે સ્વસ્થ છે. કપિલ શર્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, મારે એક સારા કમબેક માટે મારી બોડીને તંદુરસ્ત કરવાની જરૂર હતી. આશા છે કે, હું સપ્ટેમ્બરના અંત સુધી મુંબઈ આવી જઈશ. હું કહેવા માંગુ છુ કે, મારા શો વિશે અને મારા વિશે જે કંઈ પણ કહેવામાં આવે છે. તે ખોટું છે. હું છેલ્લા દસ વર્ષથી કોઇપણ બ્રેક લીધા વગર કામ કરી રહ્યો છુ.

ઉલ્લેખનીય છે કે, કોમેડિયન અને બોલિવુડ એક્ટર કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’ ને લઈને છેલ્લા ઘણા દિવસથી બેડ ન્યૂઝ સામે આવી રહ્યા છે. એક પછી એક સેલિબ્રિટીઝ સાથે શૂટિંગ રદ થયા પછી કપિલ શર્માની છબી ખરાબ થઇ રહી છે. તો બીજી તરફ, કેટલાક એક્ટર્સે કપિલ શર્માનું વલણ જોઈ તેમના શો પર ક્યારેય પણ પરત ના આવવાનો નિર્ણય કર્યો છે. તે દરમિયાન કોમેડી શો પ્રસારિત કરનાર ચેનલે નિર્ણય લીધો હતો કે, તે તેમનું પ્રસારણ રોકવાના છે. તેમણે કહ્યું હતું કે,આ નિર્ણય કપિલની સાથે મળીને લેવામાં આવ્યો છે.

થોડા મહિના પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે જે લડાઈ થઇ હતી તેના કારણે કપિલ શર્માના શોની ટીમ બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. શોના કેટલાક કલાકાર કપિલ શર્માની સાથે વફાદારી નિભાવતા જોવા મળ્યા તો બીજી તરફ, કેટલાક કલાકાર શો છોડી અલગ થઇ ગયા હતા. કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર ‘કોમેડી કંપની’ નામનો એક નવો કોમેડી શો લઈને આવ્યા છે. ‘ધ કપિલ શર્મા શો’ નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ છે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.