Abtak Media Google News

રાજયનાં સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળવા બદલ જિલ્લા પંચાયત પ્રમુખે શુભેચ્છા પાઠવી

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈબોદરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નવા 43 મંત્રીઓનાં મંત્રી મંડળમાં મહત્વની જવાબદારી મેળવતા ગુજરાતનાં સાસંદ પુરૂષોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, દર્શનાબેન જરદોસ, દેવુસિંહ ચૌહાણ, ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને શુભેચ્છાસહ અભિનંદન પાઠવતા જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે સતાએ સેવાનું માધ્યમ રહ્યું છે.

ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજય સરકાર દ્વારા ગરીબો, પીડીતો, શોષીતો, મહિલાઓ, બાળકો, વૃધ્ધો માટે અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામા આવેલ છે. અને દેશ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની નવી કેડી કંડારી રહ્યો છે.ત્યારે પ્રધાનમંત્રીના મંત્રી મંડળમાં સ્થાન મેળવનારા ગુજરાતનાં સાંસદો કેન્દ્રમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.તેમજ તેમના કલ્યાણકારી નેતૃત્વ, સમર્પણ, માર્ગદર્શન થકી દેશ વિકાસની નવી કેડીઓ કંડારશે એવી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.