Abtak Media Google News

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં હવેથી આયોજીત થનારી રાષ્ટ્રીય કક્ષાની વિવિધ પરિષદો, નેશનલ કોન્ફરન્સ કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે યોજવાનું આહવાન કર્યું છે. અમદાવાદમાં ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી મિટિંગ ના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન દરમિયાન આ વાત કહી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બાબતે જણાવ્યું હતું કે, આ સ્થળે વર્લ્ડ ક્લાસ ફેસેલિટીઝ રાજ્ય સરકાર વિકસાવવા પ્રતિબદ્ધ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વ પ્રવાસન કેન્દ્ર બને, ઉપરાંત ભારતની એકતા અને ખંડિતતાનો વિશ્વને સાક્ષાત્કાર કરાવવાનું એક ઉત્તમ સ્થાન છે. વિજયભાઈ રૂપાણી અમદાવાદમાં ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી મિટિંગના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.