Abtak Media Google News

વડોદ, નવાગામ, આંબરડી, લાલકાવાવ સોમલપર ગામોમાં વરસાદથી ખેતરોમાં ઉભા પાકને નુકસાન અને ફાયદાની સ્થિતિ

જસદણ પંથકમાં ગઇ કાલે સાંજે સખત ઉકળાટ બાદ તાલુકાના વડોદ, નવાગામ, આંબરડી, લાલકા વાવ સોમલપર જેવા ગામોમાં અડધોથી એક ઇંચ સુધી વરસાદ વરસી જતાં ખેતર સોસરા પાણી નીકળી ગયાં હતાં કેટલાંક ખેડૂતોને ઉભા પાકમાં નુકશાન થયું હતું તો કયાંક ફાયદો પણ થયો હતો. નવાગામના સામાજિક કાર્યકર રણછોડભાઇ જોગાભાઇ પરમારએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સા:જના ૭:૩૦ કલાકે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં ખેતર વાડીઓમાં પાણી ભરાય ગયા હતાં ત્યારે રાત્રીનાં આઠ વાગ્યા સુધી પણ ગાજવીજ ચાલુ હતી અને હજુ પણ વરસાદની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.