Abtak Media Google News

જુનાગઢ ખાતે ગિરિવર ગીરનારની ગોદમાં સોખડાવાળા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભકતો માટે એક ભવ્ય અને દિવ્ય સત્સંગ મહાશિબિરનું ગિરનારની ગોદમાં આયોજન કરવામાં આવેલ છે. આ સત્સંગ સભામાં હાજર આપવા માટે અને સત્સંગી હરિ ભકતજનોને આશીર્વાદ માટે સોખડાવાળા હરિપ્રસાદ સ્વામી આજે મીની પ્લેન મારફત કેશોદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

ત્યારે કેશોદ અને જુનાગઢના હરિભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એરપોર્ટના સભાખંડમાં ભકતોજનોએ તેમનું ફુલોની ઝાઝમ પાથરી ભવ્યતાપૂર્વક સ્વાગત કર્યું હતું.આજના આ કાર્યક્રમમાં જુનાગઢ મહાનગરપાલિકાના શાસક પક્ષના પૂર્વ નેતા અને પરશુરામ સેનાના પ્રમુખ અને ભાજપના કોર્પોરેટર એવા શૈલેષભાઈ દવે, અતુલભાઈ ઘોડાસરા, મનસુખભાઈ ઘોડાસરા, કિશોરભાઈ પટેલ, મોહનભાઈ પાટોડીયા, સહયોગ સ્વામી ત્યાગવલ્લભ સ્વામી સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ અને હારતોરા દ્વારા હરિપ્રસાદ સ્વામીનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓ કેશોદ એરપોર્ટથી સીધા જુનાગઢ ચિંતન શિબિરના સ્થળે જવા રવાના થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.