Abtak Media Google News

તમામ સાંસદોને ગુજરાત વિધાનસભામાં મળેલી શાનદાર જીત બદલ પાઠવ્યા અભિનંદન

હાલ લોકસભા અને રાજ્યસભામાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન ગઇકાલે રાત્રે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવિયાએ ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદોને પોતાના નિવાસસ્થાને રાત્રિ ભોજન માટે આમંત્રિત કર્યાં હતાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બદલ તમામ સાંસદોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

Advertisement

સંસદના શિયાળું સત્રમાં હાલ સૌથી વધુ ચર્ચા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતની થઇ રહી છે. દરમિયાન ગઇકાલે રાત્રે આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ગુજરાતના તમામ સાંસદોને પોતાના દિલ્હી સ્થિત સરકારી નિવાસસ્થાને રાત્રિ ભોજન માટે બોલાવ્યાં હતાં. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, નરહરિ અમીન જગદીશ પ્રજાપતિ, લોકસભાના સાંસદ પૂનમબેન માડમ સહિતના ગુજરાતના સાંસદોએ હાજરી આપી હતી અને અલગ-અલગ મુદ્ાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આરોગ્ય મંત્રીએ ગુજરાતના તમામ સાંસદોને સતત પ્રજા વચ્ચે રહીને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની પણ અપિલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.