Abtak Media Google News

રાજકોટ સમાચાર

ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે મોડી રાત્રે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાજકોટથી એસટી બસમાં ગાંધીનગર જવા માટે મોડી રાત્રે રવાના થયા હતા. આ સમયે હર્ષ સંઘવી બસપોર્ટ ખાતે મુસાફરોને મળ્યા અને પ્લેટફોર્મ, કેન્ટીન, વેઇટિંગ રૂમ ઉપરાંત શૌચાલયની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને મુસાફરીલક્ષી તમામ બાબતોની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. ગૃહરાજ્યમંત્રીએ રાજકોટની મુલાકાત દરમિયાન ઝડપાયેલ ગાંજાના જથ્થા અંગે નિવેદન આપતા જણાવ્યું કે પોલીસે ગાંજોનો મોટા પાયે જથ્થો પકડીને અનેક યુવાનોનું જીવન બચાવ્યું છે તેમજ રાજકોટ જીલ્લા પોલીસની આ કામગીરીનાં વખાણ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.