Abtak Media Google News

અગરબત્તી રોજીંદા જીવનનો સામાન્ય હિસ્સો છે, જે દરેક ભારતીય ઘરોમાં તમને જોવા મળશે. પુજા માટે ઉપયોગી આ સુગંધી વસ્તુ ભારતીયોનો ધાર્મિક હિસ્સો છે. પરંતુ તેના ધુમાડાથી થતા નુકશાનોને કારણે આરોગ્ય આપતિ સર્જાઇ શકે છે. એક અભ્યાસ પ્રમાણે લાંબા સમય સુધી સતત અગરબત્તીનો ધુમાડો લેવાથી કાર્ડોવાસ્કયુલર રોગ થઇ શકે છે. જેનાથી લોહીના સ્ત્રાવમાં તકલીફો થાય છે.

અગરબત્તીના ધુમાડાથી શ્ર્વાસ લેવામાં તકલિફ થઇ શકે છે તેમાં રહેલ કાર્બન મોનોક્સાઇડ તે શરીરમાં વાયુ પ્રદુષણ ફેલાવે છે. અગરબત્તીના ધુમાડામાં વધુ વખત શ્ર્વાસ લેવાથી હેલ્થ હેઝાર્ડ થઇ શકે છે.

અગરબત્તીના ધુમાડામાં આર્યન, મેગ્નેશિયમ અને લીડ જેવા ગેસ છૂટે છે. તે શુદ્વ લોહીને સ્વચ્છ રહેવા દેતું નથી. અગરબત્તીથી રેસ્પીરેટરી શરીરમાં કેન્સર પ્રવેશી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.