Abtak Media Google News

રાજકોટમાં આગામી 29જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદી આજી ડેમમાં નર્મદા નીરના વધામણા કરવા આવી રહ્યા છે.મોદીનો ભવ્ય રોડ શો જે રૂટ પર થવાનો છે તેના ઉપર અવનવા ભીતચિત્રો શણગાર અને વિવિધ ચિત્રો દોરવામાં આવ્યા છે.

મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ ગોટેચાએ સુત્રો ને જણાવ્યું હતુકે શહેરમાં છેલ્લા બે વર્ષથી ચિત્રનગરી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.રવિવારના રોજ આજીડેમ પાસે દુરદર્શનની દીવાલો ઉપર ૬૦ જેટલા ચિત્રો દોરવામાં આવ્યા હતા.જેમાં બે ફ્રેન્ચનાગરિકો ઉપરાંત મ્યુ.કમિશ્નર પણ જોડાયા હતા અને દીવાલો ઉપર વિવિધ ચિત્રો દોર્યા હતા.

તેમજ તેમણેકહ્યું હતું કે મોદી આજીડેમ થી ભાવનગર રોડ, ડીલક્ષચોક,બહુમાળી ભવન સુધી રોડ શો કરવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.