Abtak Media Google News

એક માસ પહેલા જ લગ્નગ્રંથિથીએ જોડાયેલા યુવાને ઝેર પી જીવન ટૂંકાવ્યું

ભગવતીપરા વિસ્તારમાં એક માસ પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવાને ઝેર પી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.  હજુ નવોઢાના હાથની મહેંદી સૂકાણી ન હતી ત્યાં જ વિધવા બની જતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભગવતીપરા વિસ્તારમાં પોલીસ ચોકી પાછળ રહેતા અને મેંગો માર્કેટમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા મહેન્દ્ર પ્રવીણભાઈ ગોહેલ નામના ૨૨ વર્ષના યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવારમાં જ યુવાને દમ તોડ્યો હતો.
મૃતકના પરિવારજનોને જણાવ્યા મુજબ મહેન્દ્ર ગોહેલના હજુ એક માસ પૂર્વે જ લગ્ન થયા હતા. ત્યારે પત્ની પોતાના માવતરને ત્યાં આટો દેવા ગઇ તે દરમિયાન પોતે આપઘાત કરી લેતા ચકચારી મચી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.