Abtak Media Google News

પ્રેમજાળમાં ફસાવી સાતેક દિવસ કેશોદ પંથકના ગામડામાં ગોંધી રાખી પરત રાજકોટ મુકી ગયો

શહેરના હસનવાડી વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની તરૂણીને પ્રેમ ઝાળમાં ફસાવી અપહરણ કરી સાતેક દિવસ સુધી કેશોદ પંથકના ગામડામાં લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજારવાના ગુનામાં સંડોવાયેલા બારોટ શખ્સની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ કેશોદના અજાબ રોડ પર રહેતા ઉમરદીપ ઉર્ફે વિક્રમશિવાજી સોનરાત નામના યુવક હસનવાડી વિસ્તારમાં આવેલા આહિર ચોકમાં પાનની દુકાને કામ કરતો હતો ત્યારે ત્યાં રહેતી ૧૫ વર્ષની તરૂણીના પરિચયમાં આવતા લગ્ન કરવાની લાલચ દઇ ગત તા.૩૧ ડિસેમ્બરે ભગાડીને કેશોદ લઇ ગયો હતો ત્યાં સાતેક દિવસ સુધી તરૂણીને ગોંધી રાખી અવાર નવાર બળાત્કાર ગુજાર્યા બાદ પરત રાજકોટ મુકી ભાગી ગયાનીભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ભક્તિનગર પી.આઇ. વી.કે.ગઢવી અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે કેશોદથી ઉમરદીપ ઉર્ફે વિક્રમ શિવાજી સોનરાત નામના બારોટ શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.