Abtak Media Google News

સિવિલ હોસ્પિટલમાં વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બાલુભાઈ વિંઝુડાએ સ્વાઈન ફલુના વોર્ડની મુલાકાત લીધી હતી. ડોકટર અને દર્દીઓ સાથે સારવાર બાબતે પુછપરછ કરતા માહિતી મળી હતી કે, કુલ ૫૯ સ્વાઈન ફલુના દર્દીમાંથી ૧૪ લોકોના મૃત્યુ થયા છે.

Advertisement

તેમજ દર્દી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, સ્વાઈન ફલુને લગતી તમામ દવાઓ હોસ્પિટલમાંથી જ આપવાની હોય છે. છતાં ડોકટર દ્વારા બહારની દવાઓ લખી આપવામાં આવે છે. આ તપાસમાં જેન્તીભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ રાઠોડ, પરેશ સાગઠીયા સહિતના સભ્યોએ સહકાર આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.