Abtak Media Google News

અજાણ્યા વાહન ચાલકે બન્નેને હડફેટે લઇ નાશી છુટયો

જૈન અગ્રણીઓ અને ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા

અબતક, સંજય દિક્ષીત ઇડર

સાબરકાંઠા જિલ્લાના ઇડરથી વડાલી માર્ગ પર વિહાર કરી રહેલા જૈન સાઘ્વીજીને અજાણ્યા વાહને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં જૈન સાઘ્વીજી અને શ્રાવિકા યુવતિનું મોત નિપજતા જૈન સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

વધુ વિગત મુજબ ઇડરથી વડાલી તરફ વિહાર કરી રહેલા જૈન સાઘ્વીજીને અજાણ્યા વાહને હડફેટે લેતા જેમાં વિસુઘ્ધી સાઘ્વીજી મહારાજશ્રી  અને દીયાબેન સચિનકુમાર દોશી નામની શ્રાવિકા ને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ઇડરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જયાં ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કરતા જૈન સમાજના અગ્રણીઓ હોસ્ટિપલે દોડી ગયા હતા.

ગંભીર અકસ્માત સર્જી  વાહન ચાલક નાશી છુટતા તેને ઝડપી લેવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.અકસ્માતની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.