Abtak Media Google News

અમરેલીના ગોખરવાળા ગામે સ્ટ્રીટ લાઇટ મુદ્દે એક યુવકને પતિ- પત્ની સહિત કુલ ત્રણ લોકોએ માર માર્યો હતો.જેને માથાના ભાગે ઈજા થતા 108 મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો આ અંગે ઈજાગ્રસ્ત રાજુભાઈ નાથાભાઈ સિદ્ધપરા (ઉ.વ.40) એ વિનુભાઇ જીણાભાઇ સાથળા, કંચનબેન વિનુભાઇ સાથળા તથા અશોકભાઇ ગોબરભાઇ ખાખડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ કંચનબેન પોતાના રહેણાંક મકાનની બહાર આવેલી સ્ટ્રીટ લાઇટ બાબતે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. આ દરમિયાન તેઓ આવી જતા સાહેદને પોતાના ઘરે લઇ જતા રહ્યા હતા.

આ દરમિયાન કંચનબેન ગાળો આપવા લાગતાં તેમણે ગાળો આપવાની ના પાડી હતી. જેથી ત્રણેય જણાએ આડેધડ મૂઢમાર મારીને ગંભીર ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ કંચનબેન વિનુભાઈ સાથળા (ઉ.વ.33)એ રાજુભાઈ નાથાભાઈ સિદ્ધપરા, તેમની પત્ની સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. રાજુભાઈએ તેમના હાથમાં પહેરેલી ધારદાર વસ્તુ નાક ઉપર મારી હતી, જ્યારે અન્ય બે લોકોએ આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે.ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.