Abtak Media Google News

શહેરમાં રામનાથ મંદિર પાસે ભવાનીનગરમાં રહેતા અને છૂટક મજુરી કરતા કોળી યુવાને પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. યુવાનના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈસી ગયો છે.

Advertisement

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામનાથ મંદિર પાસે ભવાનીનગરમાં રહેતો અને છૂટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઈ સુખાભાઈ વાળા નામના ૪૦ વર્ષિય કોળી યુવાને પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવતા ગંભીર હાલતમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન યુવાને દમ તોડતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી જઈ મૃતદેહ પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.