Abtak Media Google News

દ્વારકાની ટીવી સ્ટેશન પાસે એક મંદિરની પાછળ યાસ્મીબેન સુમરાના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ પ્રવેશ કરી, ઘરના ‚મના દરવાજાનું તાળુ તોડીને કબાટમાં રાખવામાં આવેલા રૂ.પાંચ હજાર રોકડા તથા રૂ.ચૌદ હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને લઈ ગયા હતા. આટલું જ નહીં બાજુમાં રહેતા હિતેશભાઈ નામના એક આસામીના ઘરના તાળા તોડી તેમાંથી પણ રૂ.૩ હજાર રોકડા તથા રૂ.૩ હજારની કિંમતનું સોનાનું પેંડલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે યાસ્મીનબેન સુમરાની ફરિયાદ પરથી ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.