Abtak Media Google News

અબતક,દર્શન જોશી, જૂનાગઢ

આમ આદમી પાર્ટીના 14 લોકોએ આપ છોડી કોંગ્રેસ અપનાવી લેતા કોંગ્રેસ પક્ષ સધ્ધર બન્યો છે તે સાથે કોંગ્રેસમાં ખુશીની લહેર દોડી છે, જો કે, સામા પક્ષે આપ કહી રહ્યું છે, આ કોઈ આપના હોદ્દેદારો નથી અને આપમાં કાર્યકર્તા તરીકે જોડાયાને હજુ બે-ત્રણ મહિના જ થયા હતા.

ગઈકાલે જૂનાગઢના કોંગ્રેસ ભવન ખાતે જુનાગઢ કોંગ્રેસના પ્રભારી હીરાભાઇ જોટવાની ઉપસ્થિતિમાં એક શોર્ટ ટાઇમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના 14 લોકોને કોંગ્રેસનો ખેસ પહેરાવી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડવામાં આવ્યા હતા. છે.

આ તકે જુનાગઢ કોંગ્રેસના પ્રભારી હીરાભાઇ જોટવા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, મનોજભાઈ જોશી, મનસુખભાઈ ડોબરીયા, તેમજ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

જો કે, કોંગ્રેસની આ જાહેરાત સામે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચેતનભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે જે લિસ્ટ જાહેર કર્યું છે તેવા આપના કોઈ હોદ્દેદારો નથી અને કાર્યકર્તા પણ નથી, કારણ કે આપમાં કાર્યકર્તા તરીકે જોડાયાને હજુ બે-ત્રણ મહિના જ થયા હતા. જો કે, આમાંથી હોદ્દાને લઈ બે થી ત્રણ નારાજ હતા. પરિણામે પાર્ટી છોડી હોય તેવું બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.