Abtak Media Google News

છુટાછેડા કરી સમાધાનના બહાને બોલાવી ત્રણ સાળાએ મારમાર્યો: પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો

કુટુંબ સલાહ કેન્દ્રમાં દંપતીના છૂટાછેડા અંગે સમાધાન કરવા આવેલા બનેવી પર તેના સાળાઓએ ઢીકા પાટુંનો માર માર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પહેલા છૂટું કરવાનું કહીને સમાધાન માટે બોલાવી યુવાન પર હુમલો કર્યા બાદ પોતે પણ હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામમાં ગોવિંદનગર વિસ્તારમાં રહેતા અને વેલ્ડિંગનું કામકાજ કરતા દિલીપભાઈ અરજણભાઇ જેઠવા નામના 32 વર્ષના યુવાન પણ તેના સાસરિયાં પક્ષના પ્રજ્ઞેશ, કૌશિક અને પ્રવીણ નામના શખ્સોએ હુમલો કરતા યુવાનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તો સામા પક્ષે પણ પ્રજ્ઞેશને પણ દિલીપે માર માર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

આ અંગેની મળતી વધુ વિગત મુજબ દિલીપ અને તેની પત્ની જીજ્ઞાશા વચ્ચે મનમેળ ન આવતા બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. જે સંદર્ભે સલાહ કેન્દ્રમાં સમાધાન માટે બોલાવ્યા હતા. જ્યાં વાતચીત દરમિયાન દિલીપ જેઠવાના સાળા પ્રજ્ઞેશ, કૌશિક અને પ્રવીણે માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો સામા પક્ષે પ્રજ્ઞેશ પણ વળતા આરોપ સાથે હોસ્પિટલમાં દાખલ થયો હતો. પોલીસે બંને ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.